Corona Update: કોરોના પર આવ્યા સારા સમાચાર, એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી ઓછી

કોરોના પર આજે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી નીચે ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 54,366 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: કોરોના પર આવ્યા સારા સમાચાર, એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી ઓછી

નવી દિલ્હી: કોરોના (Corona Virus) પર આજે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7 લાખથી નીચે ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 54,366 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 69,48,497 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 6,95,509 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 690 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,17,306 પર પહોંચ્યો છે. 

કુલ 10,01,13,085 ટેસ્ટિંગ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં કુલ 10,01,13,085 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 14,42,722 ટેસ્ટિંગ ગઈ કાલે હાથ ધરાયા હતાં.

Total active cases are 6,95,509 after a decrease of 20,303 in last 24 hrs

Total cured cases are 69,48,497 with 73,979 new discharges in last 24 hrs pic.twitter.com/YD74KV32uJ

— ANI (@ANI) October 23, 2020

દેશી રસી કોવેક્સિનની છેલ્લા તબક્કાની ટ્રાયલને મંજૂરી 
દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા કેસના જે રીતે રાફડા ફાટી રહ્યા છે ત્યારે બધાની નજર કોરોનાની રસી પર ટકેલી છે. અત્યાર સુધી ચીન અને રશિયાએ કોરોનાની જે રસીઓને મંજૂરી આપી છે તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ હજુ પૂરી થઈ નથી. ભારત ત્રણ રસી સફળતાની નજીક છે. જે અંતિમ તબક્કાની ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. દેશી કોરોના રસી કોવેક્સિન Covaxin પાસેથી બધાને ખુબ આશા છે. તેને છેલ્લા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. આ રસીને ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી તૈયાર કરી છે. 25 હજારથી વધુ લોકો પર આ રસીની ટ્રાયલ હાથ ધરાશે.

ભારતીય દવા નિયામક ડીસીજીઆઈની વિશેષ સમિતિની હાલમાં થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો. સમિતિએ પ્રોટોકોલમાં થોડું ઘણું સંશોધન કર્યું છે. ભારત બાયોટેક કંપની જલદી રસીના છેલ્લા તબક્કાનું પરીક્ષણ કરશે. કદાચ આવતા મહિને આ ટ્રાયલ શરૂ થશે. જેમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ સામેલ થશ. રસીનો પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ લોકોને  બીજો ડોઝ અપાશે. અત્રે જણાવવાનું કે આ દેશી રસીના શરૂઆતના તબક્કાના ટ્રાયલ પરિણામો સારા આવ્યા છે.   

— ANI (@ANI) October 23, 2020

અહેવાલો મુજબ ગત પાંચ ઓક્ટોબરે ડીસીજીઆઈની વિશેષજ્ઞ સમિતિની બેઠકમાં કંપનીને ફેઝ-3 ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી જમા કરાવવાનું કહેવાયું હતું. સમિતિનું માનવું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ સ્ટડીની ડિઝાઈન તો સંતોષકારક હતી પરંતુ તેની શરૂઆત બીજા ફેઝની સેફ્ટી અને ઈમ્યુનોજેનિસિટી ડેટામાં યોગ્ય ડોઝ નક્કી થયા બાદ હોવી જોઈએ. સમિતિએ કંપની પાસે પહેલા તેના ડેટાની માગણી કરી હતી જેને સબમિટ કરાયો. 

ભારત બાયોટેકની યોજના મુજબ Covaxin ની છેલ્લી ટ્રાયલ દિલ્હી ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને આસામમાં થઈ શકે છે. આખી તબક્કાની ટ્રાયલના પરિણામ ફેબ્રુઆરી સુધીમાં આવવાની આશા છે. ત્યારબાદ કંપની વેક્સિનની મંજૂરી અને માર્કેટિંગનીં મંજૂરી માટે અરજી  કરશે. 

ભારત બાયોટેકે પોતાની રસીમાં Alhydroxiquim-II નામના તત્વનો સમાવેશ કર્યો છે. જે એક પ્રકારનું બુસ્ટર છે. તે રસીના ઈમ્યુન રિસ્પોન્સને વધારે છે. હકીકતમાં તે એક પ્રકારનું બુસ્ટર એજન્ટ હોય છે જેને ભેળવવાથી રસીની ક્ષમતા વધી જાય છે અને રસી લીધા બાદ શરીરમાં પહેલાની અપેક્ષાએ વધુ એન્ટીબોડીઝ બને છે. આવી રસી લાંબા સમય સુધી બીમારી સામે સુરક્ષા આપે છે. 

દેશમાં ત્રણ રસી સફળતાની નજીક છે. ભારત બાયોટેકની Covaxin ઉપરાંત અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીએ પણ પ્રાથમિક તબક્કાની ટ્રાયલ દરમિયાન સારા પરિણામો આપ્યા છે. આ બાજુ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે. આ ત્રણ રસી ઉપરાંત અન્ય ઉપર પણ રિસર્ચ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news