કોંગ્રેસની ચિંતન શિબિરમાં મોબાઈલ સાથે એન્ટ્રી પર પ્રતિબંધ કેમ? પાર્ટીને કંઈ વાતનો છે ડર?

Congress Chintan Shivir: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવાર ત્રણ દિવસીય ચિંતન શિબિર માટે રાજસ્થાનના ઉદયપુરમાં છે. તેણે નવ સંકલ્પ ચિંતન શિબિર પણ કહેવામાં આવી રહી છે. ચિંતન શિબિરમાં 2024ની સામાન્ય ચૂંટણીઓની પણનીતિ, ધ્રુવીકરણની રાજનીતિનો મુકાબલો કરવાની ટેકનિક પર ચર્ચા કરવામાં આવી રહી છે.

કોંગ્રેસની ચિંતન શિબિરમાં મોબાઈલ સાથે એન્ટ્રી પર પ્રતિબંધ કેમ? પાર્ટીને કંઈ વાતનો છે ડર?

Congress Chintan Shivir latest Update: આજે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ કોંગ્રેસ એકવાર ફરી પાર્ટીમાં પ્રાણ ફૂંકવાની પુરેપુરી કોશિશમાં લાગેલું છે. આ ક્રમમાં કોંગ્રેસનું મોટું કદમ રાજસ્થાનના ઉદયપુરમાં ચિંતન શિબિરના આયોજનના રૂપમાં જોવામાં આવી શકે છે. પરંતુ અહીં ધ્યાન કેન્દ્રિત કરનાર વાત એ હતી કે કોંગ્રેસ ચિંતન શિબિરમાં નેતાઓને મોબાઈલ ફોન લઈ જવાની અનુમતિ નહોતી. તો આજે અમે તમને જણાવીશું કે આખરે કોંગ્રેસે આવો નિર્ણય લેવાની ફરજ કેમ પડી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવાર ત્રણ દિવસીય ચિંતન શિબિર માટે રાજસ્થાનના ઉદયપુરમાં છે. તેણે નવ સંકલ્પ ચિંતન શિબિર પણ કહેવામાં આવી રહી છે. ચિંતન શિબિરમાં 2024ની સામાન્ય ચૂંટણીઓની પણનીતિ, ધ્રુવીકરણની રાજનીતિનો મુકાબલો કરવાની ટેકનિક પર ચર્ચા કરવામાં આવી રહી છે.

ચિંતન શિબિર સાથે જોડાયેલા સૂત્રોના મતે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થયા પહેલા શુક્રવારે પાર્ટી નેતાઓ અને પ્રતિનિધિઓને તેમના ફોન પરિસરની બહાર રાખવાનો આગ્રહ કર્યો. કોંગ્રેસે આ કદમ માત્ર એટલા માટે ઉઠાવ્યું કારણ કે બેઠકની મહત્વપૂર્ણ જાણકારી લીક ના થાય.

લોકર રૂમ તમામ નેતાઓના મોબાઈલ ફોન
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન પહેલા તમામના ફોન લોકર રૂમમાં રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીની મુખ્ય બેઠકો દરમિયાન સૂચના લીક થવાના કારણે કોંગ્રેસ પાર્ટી આ વખતે ગંભીર છે. છેલ્લી બે કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબ્લ્યૂસી)ની બેઠકો માટે સભ્યોને સૂચના લીક થવાથી રોકવા માટે પોતાનો ફોન જમા કરવા માટે કહેવામાં આવ્યું છે

હવે સમય છે કર્ઝ ચુકાઓ
ચિંતન શિબિર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સભાને સંબોધિત કરતા તમામ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું છે કે, પાર્ટીએ આપણને બધાને ઘણું બધું આપ્યું છે. હવે સમય છે કર્ઝ ચુકાઓ. પાર્ટીએ ધણું બધું આપ્યું. તમામને પોતાના વિચાર ખુલ્લા રાખવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news