મમતાના નિર્ણય પર વિવાદ, મુસ્લિમ બહુમતીવાળી શાળામાં અલગ રસોડું !

મમતા બેનર્જી સરકારના પશ્ચિમ બંગાળમાં 70 ટકાથી વદારે મુસ્લિમ વિદ્યાર્થીવાળી શાળાના મધ્યાન ભોજન માટે અલગ ભોજન કક્ષનું નિર્માણ કરવાનાં નિર્દેશ આપવા મુદ્દે વિવાદ પેદા થયો હતો

મમતાના નિર્ણય પર વિવાદ, મુસ્લિમ બહુમતીવાળી શાળામાં અલગ રસોડું !

કોલકાતા : પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 70 ટકાથી વધારે લઘુમતી વિદ્યાર્થી વાળી સરકારી શાળામાં મધ્યાન ભોજન માટે ભોજન કક્ષનાં નિર્માણ માટેના નિર્દેશ આપવા મુદ્દે વિવાદ પેદા થઇ ગયો છે. ભાજપ અને અન્ય વિપક્ષી દળોએ તૃણમુલ કોંગ્રેસ પર રાજ્યમાં સાંપ્રદાયીક વિભાજન કરવાનો આરોપ લગાવ્યો. તૃણમુલના વરિષ્ઠ નેતા અને લઘુમતી મુદ્દાના રાજ્યમંત્રી ગ્યાસુદ્દીન મુલ્લાનાં આરોપોને નિરાધાર ગણાવતા ફગાવી દીધું અને તેમ કહતેતા આ નિર્ણયનો બચાવ કર્યો કે તેના કારણે તમામ વિદ્યાર્થીઓનો ફાયદો થશે. 

હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અનેક અભિનેત્રીઓ
ભાજપની પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે કુચ બિહાર જિલ્લામાં 70 ટકાથી વધારે લઘુમતીવાળા વિદ્યાર્થીવાળી સરકારી સ્કુલમાં મધ્યાન ભોજનનાં કારણે ભોજન કક્ષનાં નિર્માણનો નિર્દેશ આપવા માટે રાજ્ય સરકારની નિંદા કરી છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, આ પગલા પાછળ પણ કોઇ નાપાક ઇરાદો છે. 

રાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'
ઘોષે પોતાનાં ટ્વીટર હેન્ડલ પર પરિપત્રની એક કોપી અપલોડ કરતા લખ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારે એક પરિપત્ર ઇશ્યુ કર્યો છે, જેના હેઠળ તેણે શાળાતંત્રને નિર્દેશ આપ્યા છે કે જે શાળાઓમાં 70 ટકાથી અથવા તેનાથી વધારે વિદ્યાર્થીઓ મુસ્લિમ હોય, તેમના માટે અલગ ભોજન કક્ષ બનાવવામાં આવે તથા તેમના બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે. આ અંગે કોઇ પણ સરકારી અધિકારીઓને તત્કાલ પ્રતિક્રિયા મળી શકે છે. 

જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા નાગરિકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ
તેમણે પુછ્યું કે, ધર્મના આધાર પર વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ કેમ ? શું આ ભેદભાવનાળા પગલા પાછળ કોઇ અયોગ્ય નિયત છુપાઇ છે ? વધારે એક કાવત્રું ? આ મુદ્દે વળતો પ્રહાર સત્તાપક્ષ ટીએમસીએ શરૂઆતમાં મુખ્યમંત્રી બેનર્જીના હવાલાથી નિવેદન બહાર પાડીનેક હ્યું કે આ એક જુનો પરિપત્ર છે, જેને પહેલા જ પરત લઇ લેવાયો છે, જો કે ત્યાર બાદ કહેવાયું કે, તેઓ પછીથી એક સ્પષ્ટીકરણ બહાર પાડશે. 

મોદી સરકારમાં કાશ્મીર સ્વર્ગ જ છે અને જળવાઇ રહેશે : ભાજપ
મંત્રી ગ્યાસુદ્દીન મુલ્લાએ અહીં કહ્યું કે, અમારો વિભાગ તમામ વિદ્યાર્થીઓનાં સમગ્ર વિકાલ માટે લઘુમતીના માળખાગત સંસ્થાઓને ઉન્નત કરવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, મધ્યાન ભોજન  માટે બનનારા ભોજન કક્ષમાં તમામ વિદ્યાર્થીઓને ફાયદો થસે ન માત્ર મુસલમાનોને નાણાકીય રકમ સ્વીકૃત થઇ ગઇ છે એટલા માટે આપણે એવી શાખાઓની યાદી માંગી છે. રાજ્ય વિધાનસભામાં વિપક્ષનાં નેતા અને  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અબ્દુલ મન્નાને આદેશ અંગે રાજ્ય સરકારની ટીકા કરી અને કહ્યું કે, માત્ર ધર્મના આધારે વિદ્યાર્થીઓને અલગ કરી શકાય નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news