J-K: પુંછમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર, ગોળીબારીમાં ત્રણ નાગરિકોના મોત


જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં શુક્રવારે LoC પર પાકિસ્તાને ગોળીબારી કરી, જેમાં 3 નાગરિકોના મોત થયા છે. 

J-K: પુંછમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર, ગોળીબારીમાં ત્રણ નાગરિકોના મોત

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં શુક્રવારે LoC પર પાકિસ્તાને ગોળીબારી કરી, જેમાં 3 નાગરિકોના મોત થયા છે. 

જાણવા મળી રહ્યું છે કે ખારી ખમરારા સેક્ટમાં પાકિસ્તાનની ગોળીબારીની ઝપેટમાં મોહમ્મદ રફીકનુ ઘર આવી ગયું. તેમાં મોહમ્મદ રફીક (58), તેની પત્ની રાફિયા બી (50) અને તેના પુત્ર ઇરફાન (15/16)નુ ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. 

મહત્વનું છે કે એલઓપી પર પાકિસ્તાની સેના સતત નાપાક હરકત કરી રહી છે. પુંછ જિલ્લાના બાલાકોટે સેક્ટરમાં 8 જુલાઈએ પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેમાં એક નાગરિકનું મોત થયું તો બીજાને ગંભીર રૂપથી ઈજા પહોંચી હતી. 

છેલ્લા એક મહિનામાં પાકિસ્તાન ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. 30 જૂને પણ પાકિસ્તાન તરફથી બારામૂલા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ પ્રમાણે પાકિસ્તાન તરફથી 30 જૂનની સવારે મોર્ટાર ગુમલો કરવામાં આવ્યો હતો. તેનો સેનાએ વળતો જવાબ આપ્યો હતો. 

કુપવાડામાં ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં 16 જુલાઈએ ભારતીય સેનાએ એલઓપીની પાસે આતંકીઓના ઘુષણખોરીના પ્રયાસને નિષ્ફળ બનવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર કર્યો હતો.

કુપવાડાના કેરન સેક્ટરમાં ગુરૂવારે સવારે નિયંત્રણ રેખાને પાર કેટલાક અજાણ્યા લોકોની શંકાસ્પદ હરકતની માહિતી મળી હતી. સુરક્ષાદળોએ ઘુષણખોરી કરવાના પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આ પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો જ્યારે એક એકે 47 રાયફલ જપ્ત થઈ હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news