જમ્મૂ કાશ્મીરમાં RSSના નેતા પર આતંકી હુમલો, ગાર્ડનું મોત

જમ્મૂ કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના નેતા ચંદ્રકાન્ત પર આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ચંદ્રકાન્તના ગાર્ડનું મોત થયું છે. હુમલાખોર ભાગવામાં સફળ થઇ ગયો છે.

જમ્મૂ કાશ્મીરમાં RSSના નેતા પર આતંકી હુમલો, ગાર્ડનું મોત

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના નેતા ચંદ્રકાન્ત પર આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ચંદ્રકાન્તના ગાર્ડનું મોત થયું છે. હુમલાખોર ભાગવામાં સફળ થઇ ગયો છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાનો ચૂંસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રકાન્ત કિશ્તવાજાના હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં છે. તે દરમિયાન આતંકી ત્યાં પહોંચ્યા અને તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. તેની સામે ચંદ્રકાન્તના ગાર્ડે જવાબી ફાયરિંગ શરૂ કર્યુ હતુ. તે દરમિયાન એક ગોળી ગાર્ડને વાગી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

ગોળીનો અવાજ સાંભળી સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. ત્યાં હજાર દર્દીઓ અને તેમના પરિવારજનો વચ્ચે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેનો ફાયદો ઉઠાવી આતંકી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાની જાણ થતા સુરક્ષા દળે સ્થળ પર પહોંચી સંપૂર્ણ હોસ્પિટલની ઘેરાબંધી કરી દીધી છે. સાથે જ તાપસ અભિયાન પણ હાથ ધર્યું છે. હુમલાખોરની તલાસમાં સાક્ષીઓથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news