Story of Executioner: પવન જલ્લાદથી પણ ખતરનાક હતો નાટા મલ્લિક, ફાંસીના દોરડાનું તાવીઝ બનાવીને વેચતો હતો

આજે અમે તમને એવા જલ્લાદની વાત કરવા જઈ રહ્યા છીએ જેના નામ પર 25 ફાંસી આપવાનો રેકોર્ડ છે. આ જલ્લાદ જ્યારે જેને ફાંસી આપે તે બાદ તે ફાંસીમાં વાપરવામાં આવેલા દોરડામાંથી તાવીઝ બનાવતો હતો. અમે વાત કરી રહ્યા છે જલ્લાદ નાટા મલ્લિકની.

Story of Executioner: પવન જલ્લાદથી પણ ખતરનાક હતો નાટા મલ્લિક, ફાંસીના દોરડાનું તાવીઝ બનાવીને વેચતો હતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ નિર્ભયાના 4 ગુનેગારોને ફાંસી આપવાવાળા જલ્લાદ પવન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અમરોહાની શબનમને ફાંસીની સજા મળી છે. પ્રેમમાં આંધડી થઈને સબનમે તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી હતી. હવે તેને ગમે તે સમયે ફાંસી આપવામાં આવશે. શબનમને ફાંસી આપવાની જવાબદારી મેરઠના પવન જલ્લાદને આપવામાં આવી છે. ભારતમાં બે જ જલ્લાદ પરિવાર છે. પહેલા પવનકુમાર અને બીજા પશ્ચિમ બંગાળના બાબુ અહમદ.

ફાંસી પર ચઢાવવાનું હતું વારસાગત કામ
2000ના વર્ષમાં નાટા મલ્લિક પશ્ચિમ બંગાળ રાજ્યના ફેમસ જલ્લાદ હતા. તે મૂળ કોલકત્તાના રહેવાસી હતા.તેમના માટે કોઈને ફાંસીએ ચડાવવું તે વારસાગત કામ હતું. બ્રિટિશ રાજમાં નાટાના પિતાએ 500થી પણ વધારે લોકોને ફાંસી પર લટકાવ્યા હતા જેમાં સૈથી વધુ બંગાળી ક્રાંતિકારી હતા. નાટાના દાદાએ પણ કેટલાય લોકોને ફાંસી આપી હતી.

આટલો મળતો હતો પગાર
વેસ્ટ બંગાળ સરકાર નાટા મલ્લિકને 10 હજાર રૂપિયા પગાર આપતી હતી. આ ઉપરાત નાટાને દરેક ફાંસી પર 5000થી 10000 રૂપિયા મળતા હતા.

ફાંસીના દોરડા માટે ઘર આગળ લાગતી હતી લાઈન
નાટાએ તેની 25મી ફાંસી અલીપુર જેલમાં ધનંજય ચેટર્જીને 14 ઓગસ્ટ 2004માં આપી હતી. તમને જણાવી દઈએ કે જે દોરડાથી ગુનેગારને ફાંસી પર લટકાવવામાં આવતો હતો તે દોરડાના નાના-નાના ટૂકડા લેવા માટે નાટા જલ્લાદના ઘરે લોકોની ભીડ ઉમટી પડતી હતી. સાંભળવામાં આ ભલે અટપટું લાગે પરંતુ આ સત્ય છે.

દોરડાનું તાવીઝ બનાવીને વેચતો હતો નાટા મલ્લિક
દોરડાનું તાવીઝ બનાવીને વેચતો હતો નાટા મલ્લિક. ગુનેગારને ફાંસી પર લટકાવ્યા બાદ તે દોરડાને ઘરે લઈ જતો હતો. આ દોરડાના ટૂકડાઓમાં તાવીઝ બનાવીને વેચતો હતો. આવી રીતે તાવીઝ વેચીને નાટા હજારો રૂપિયા કમાયા. લોકોનું માનવું હતું કે ફાંસીના દોરડાથી દમ જેવી મોટી બિમારીઓથી મુક્તિ મળે છે. નાટાએ તેના ઘરની બહાર ફાંસીની ગાંઠ બનાવીને લટકાવી રાખી હતી.

ફાંસીના દોરડામાં હોય છે ઔષધિય ગુણ
નાટા મલ્લિક માનતો હતો કે ફાંસી પહેલા આ દોરડા પર સાબુ, કેળા, ઘી લગાવવમાં આવે છે જેના કારણે તેમાં ઔષધિય ગુણો આવી જાય છે. નાટાનું કહેવું હતું કે તેમની પાસે આવેલા જેટલા પણ દર્દીઓએ તાવીઝ પહેર્યું છે તે એકદમ સ્વસ્થ થયા છે. આવું કરવાવાળા નાટા મલ્લિક પ્રથમ જલ્લાદ ન હતા નાટાના દાદા પણ આવી જ રીતે તાવીઝ બનાવીને આપતા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news