Shocking Video: દર્દનાક! બાળકો પપ્પા-પપ્પા બૂમો પાડતા રહ્યા, એસપી ઓફિસની બહાર યુવકે ભરી લીધુ આઘાતજનક પગલું

Shocking Video: દર્દનાક! બાળકો પપ્પા-પપ્પા બૂમો પાડતા રહ્યા, એસપી ઓફિસની બહાર યુવકે ભરી લીધુ આઘાતજનક પગલું

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં હચમચાવી નાખે તેવી ઘટના ઘટી છે. વાહનોના વિવાદમાં પોલીસે સુનાવણી હાથ ન ધરતા નારાજ થયેલી એક વ્યક્તિએ પરિવાર સાથે પોલીસ અધિક્ષકની ઓફિસ પહોંચીને પોતાના ઉપર  પેટ્રોલ નાખીને આત્મદાહ કર્યું. પોલીસકર્મીઓએ આગ તો બુઝાવી લીધી પરંતુ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે. હોસ્પિટલમાં તેની ગંભીર સ્થિતિને જોતા લખનઉ રેફર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના તે વ્યક્તિની પત્ની અને તેના બાળકની સામે ઘટી. પત્ની બાળકને હાથમાં લઈને પતિને બચાવવા માટે બૂમો પાડતી રહી. જ્યારે તે વ્યક્તિનું માસૂમ બાળક પપ્પા પપ્પા કહીને હ્રદયદ્રાવક ચીસો પાડતું વીડિયોમાં જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

પોલીસ કાર્યવાહી ન થતા દુખી હતો યુવક
વીડિયોને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાના એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલથી પોસ્ટ કરતા રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. પીડિતની ઓળખ શાહજહાંપુરના ગામ સિહરાન રહીશ તાહિર અલી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ તાહિરે ચિનૌર ગામના રહીશ ઉમેશકુમાર તિવારીને બે પિકઅપ ગાડીઓ ભાડે આપી હતી. ઉમેશે પછી ભાડુ ન આપ્યું અને બંને ગાડીઓ પણ કબજે કરી લીધી. તાહિરે એસપી ઓફિસમાં પ્રાર્થનાપત્ર આપતા પોલીસે વાહન જપ્ત કરી  લીધા હતા. આરોપ છે કે વાહન લઈને ઘરે પાછા ફરતી વખતે આરોપીઓએ તાહિર પર હુમલો કર્યો. આ હુમલા અંગે તાહિરે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આરોપ છે કે લગભગ દોઢ મહિના બાદ પોલીસે દાહિરની ગાડીઓ સીઝ કરીને શાહબાજનગર ચોકી પર ઊભી રાખી દીધી. તાહિરે કોર્ટમાં અરજી આપી. પરંતુ તેની ગાડીઓ ચોકીથી ગાયબ કરી દેવાઈ. ત્યારબાદથી તાહિર પરેશાન થઈને ફરી રહ્યો હતો અને પોલીસ કાર્યવાહી ન થવાથી દુખી હતો. 

— Akhilesh Yadav (@yadavakhilesh) March 5, 2024

નારાજ થઈ ભર્યું આ આઘાતજનક પગલું
પોલીસના આવા વર્તનથી કંટાળી અને દુખી થઈને તાહિર મંગળવારે બપોરે 12 વાગે પત્ની મહનાઝ અને ત્રણ બાળકો સાથે એસપી ઓફિસ પહોંચ્યો. ત્યાં મેઈનગેટ પર પહોંચતા જ પોતાના પર પેટ્રોલ છાંટી લીધુ અને જ્યાં સુધી ત્યાં હાજર  પોલીસકર્મીઓ કઈ સમજે  ત્યાં તો આગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તાહિર બળતી હાલતમાં એસપી ઓફિસના કેમ્પસમાં આમતેમ દોડી રહ્યો છે. જ્યારે તેના બાળકો અને પત્ની મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. પોલીસકર્મીઓએ કોઈ રીતે કંબલ નાખીને આગ ઓલાવી અને તત્કાળ રાજકીય મેડિકલ કોલેજમાં મોકલી દેવાયો. જ્યાં ગંભીર હાલત જોતા લખનઉ રેફર કરાયો છે. શાહજહાપુરના એસપી અશોકુમાર મીણાએ કહ્યું કે તાહિર અલી અને ઉમેશ તિવારી વચ્ચે વાહનોનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે. તાહિરના આત્મદાહ કરવાની કોશિશની તપાસ એસપી સિટી સંજયકુમારને સોંપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news