કૃષિ કાયદા વિરુદ્ઘ ખેડૂતોના પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ખાસ જાણો

કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનને લઈને દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે સુનાવણી થઈ. કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવાનું કહ્યું છે જેથી કરીને બંને પરસ્પર મુદ્દા પર ચર્ચા કરી શકે.  કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય મુદ્દા પર સહમતિથી ઉકેલ આવે તે જરૂરી છે. હવે આ મામલે આવતી કાલે સુનાવણી થશે. 
કૃષિ કાયદા વિરુદ્ઘ ખેડૂતોના પ્રદર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ખાસ જાણો

નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનને લઈને દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે સુનાવણી થઈ. કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવાનું કહ્યું છે જેથી કરીને બંને પરસ્પર મુદ્દા પર ચર્ચા કરી શકે.  કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય મુદ્દા પર સહમતિથી ઉકેલ આવે તે જરૂરી છે. હવે આ મામલે આવતી કાલે સુનાવણી થશે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે અમે આ મામલે એક કમિટીની રચના  કરીશું જે આ સમસ્યાનો ઉકેલ લાવશે. તેમાં ખેડૂત સંગઠન, કેન્દ્ર સરકાર અને અન્ય લોકો હશે. કોર્ટે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતથી હાલ ઉકેલ આવતો જોવા મળી રહ્યો નથી. 

કોણે કરી છે અરજી?
ખેડૂતોના આંદોલન અંગે સુપ્રીમ કોર્ટમાં 3 અરજી દાખલ થઈ છે. કાયદાના વિદ્યાર્થી ઋષભ શર્માએ દાખલ કરેલી અરજીમાં દિલ્હીની સરહદોથી ખેડૂતોને હટાવવાની માગણી કરવામાં આવી છે અને કહેવાયું છે કે તેનાથી રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે. ઈમરજન્સી અને મેડિકલ સેવાઓ ખોરવાયો છે. અરજીમાં કહેવાયું છે કે પ્રદર્શનકારીઓને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નિર્ધારિત સ્થાન પર ખસેડવા જોઈએ. એક અન્ય અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને ખેડૂતોની માગણી પર વિચાર કરવાના નિર્દેશ આપે. 

આજે 21માં દિવસે પણ પ્રદર્શન યથાવત
કૃષિ કાયદાની વાપસી માટે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે સતત 21માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હી-નોઈડાને જોતી ચિલ્લા બોર્ડર એકવાર ફરીથી બંધ કરી દીધી છે. જે હાલમાં જ ખોલવામાં આવી હતી. સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 6 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જેનું કોઈ પરિણામ આવ્યું નથી અને ખેડૂત સંગઠનો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news