સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા? ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડની 10 મોટી વાતો

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાને લઈને ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે લગ્ન, સમલૈંગિક લગ્ન, સમાજ, સામાજિક સ્વીકાર્યતા, તેના અધિકાર, જટિલતાઓ સહિત વિવિધ મુદ્દાને લઈને વાત રાખી. ચુકાદો વાંચતા સીજેઆઈએ ઘણી મહત્વપૂર્ણ વાત કહી. 

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા? ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડની 10 મોટી વાતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આવવાની વિનંતી કરનાર 21 અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો. ચુકાદો સંભળાવવા દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે ઘણી મહત્વની વાત કહી છે. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે તે કલ્પના કરવી કે સમલૈંગિકતા માત્ર શહેરી વિસ્તારમાં હાજર છે, તેને દૂર કરવી પડશે, કોઈપણ જાતિ કે વર્ગનો વ્યક્તિ સમલૈંગિક હોઈ શકે છે. સીજેઆઈએ કહ્યું કે મનુષ્ય જટિલ સમાજમાં રહે છે... એક બીજાની સાથે પ્રેમ અને જોડાણ અનુભવ કરવાની અમારી ક્ષમતા આપણે મનુષ્ય હોવાનો અહેસાસ કરાવે છે. તેમણે કહ્યું કે આપણું જોવું અને જોવાની એક જન્મજાત જરૂરીયાત છે. આપણી લાગણીઓને શેર કરવાની જરૂરિયાત આપણને બનાવે છે કે આપણે કોણ છીએ. આ સંબંધો ઘણા સ્વરૂપો લઈ શકે છે, સુસંગત કુટુંબો, રોમેન્ટિક સંબંધો, વગેરે. કુટુંબનો ભાગ બનવાની જરૂરિયાત માનવ સ્વભાવનો મુખ્ય ભાગ છે અને સ્વ-વિકાસ માટે મહત્વપૂર્ણ છે.

1. લગ્નની સંસ્થા બદલાઈ ગઈ છે જે આ સંસ્થાની વિશેષતા છે. સતી અને વિધવા પુર્નલગ્નથી લઈને અંતરધાર્મિક લગ્ન. લગ્નનું રૂપ બદલાઈ ગયું છે. 

2. પાયાની વસ્તુ અને સેવાઓથી ઇનકાર ન કરી શકાય. જો રાજ્ય સમલૈંગિક સંબંધોને માન્યતા નથી આપતો તે અપ્રત્યક્ષ રૂપથી સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી શકે છે. અધિકાર પર યોગ્ય પ્રતિબંધ હોઈ શકે છે... અધિકાર પર વાજબી પ્રતિબંધો હોઈ શકે છે.. પરંતુ ઘનિષ્ઠ સંબંધોનો અધિકાર અનિયંત્રિત હોવો જોઈએ.

3. લગ્નના નક્કર ફાયદા કાયદાની સામગ્રીમાં મળી શકે છે. જો રાજ્ય તેને ઓળખતું નથી અને લાભોનો સમૂહ નથી, તો જીવનસાથી પસંદ કરવાની અને સંબંધો અને ઘનિષ્ઠ સંબંધોમાં પ્રવેશવાની સ્વતંત્રતા અર્થહીન હશે, બાકી પ્રણાલીગત ભેદભાવ હશે. સીજેઆઈએ કહ્યું કે કોર્ટ એસજી મહેતા દ્વારા પ્રસ્તાવિત કમિટી સમલૈંગિક યુગલો માટેના ફાયદાઓ પર ધ્યાન આપશે.

4. સમલૈંગિકો સહિત દરેક વ્યક્તિના નૈતિક ગુણોના મૂલ્યાંકન કરવાનો અધિકાર છે. આ ગુણ પૂર્ણ નથી અને તેને કાયદા દ્વારા વિનિયમિત કરી શકાય છે. સ્વતંત્રતાનો અર્થ છે કે વ્યક્તિ જે કરવા ઈચ્છે છે તેને કાયદા અનુસાર કરે. 

5. જો કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ કોઈ વિષમલૈંગિક વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છે છે તો આવા લગ્નને માન્યતા આપવામાં આવશે કારણ કે એક પુરૂષ હશે અને બીજી મહિલા હશે. ટ્રાન્સજેન્ડર પુરૂષને એક મહિલા સાથે લગ્ન કરવાનો અધિકાર છે. 

6. ટ્રાન્સજેન્ડર મહિલાને એક પુરૂષ અને ટ્રાન્સજેન્ડર મહિલા અને ટ્રાન્સજેન્ડરથી લગ્ન કરવાનો અધિકાર છે. પુરૂષ પણ લગ્ન કરી શકે છે અને જો મંજૂરી ન આપવામાં આવી તો આ ટ્રાન્સજેન્ડર અધિનિયમનું ઉલ્લંઘન થશે. 

7. ઘરની સ્થિરતા ઘણા કારણો પર નિર્ભર કરે છે, જેનાથી સ્વસ્થ કાર્ય જીવન સંતુલન બને છે અને સ્થિર ઘરની કોઈ એક પરિભાષા નથી અને આપણું બંધારણનું બહુવચનવાદી રૂપ વિવિધ પ્રકારના સંઘોને અધિકાર આપે છે. 

8. CARA રેગ્યુલેશન 5(3) અસામાન્ય યુનિયનોમાં ભાગીદારો વચ્ચે ભેદભાવ કરે છે. આ બિન-વિષમલિંગી યુગલો પર પ્રતિકૂળ અસર કરશે. આમ અપરિણીત વિષમલિંગી યુગલ દત્તક લઈ શકે છે, પરંતુ સમલૈંગિક સમુદાય માટે આવું નથી.
કાયદો સારા અને ખરાબ વાલીપણા વિશે કોઈ ધારણા કરતો નથી અને એક સ્ટીરિયોટાઇપને કાયમી બનાવે છે કે માત્ર વિજાતીય લોકો જ સારા માતાપિતા બની શકે છે. આ રીતે નિયમનને ગે સમુદાયનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

9. આ વિષય પર સાહિત્યની સીમિત શોધથી તે સ્પષ્ટ થઈ જાય છે કે સમલૈંગિકતા કોઈ નવો વિષય નથી. લોકો સમલૈંગિક હોઈ શકે છે, ભલે તે ગામના હોય કે શહેરથી.. ન માત્ર એક અંગ્રેજી બોલનાર પુરૂષ સમલૈંગિક હોવાનો દાવો કરી શકે છે... પરંતુ ગ્રામીણ વિસ્તારમાં એક ખેતરમાં કામ કરનારી મહિલા પણ હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news