PoK ના બાલાકોટમાં જે જગ્યાએ થઇ હતી એર સ્ટ્રાઇક, ત્યાં ફરી સક્રિય થયા આતંકી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના બાલાકોટ (Balakot)માં ફરી એકવાર આતંકવાદી કેમ્પો (Terror camps)ના સક્રિય હોવાની જાણકારી સામે આવી છે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) એ આ જાણકારી આપી છે. ગૃહ મંત્રાલયે બુધવારે રાજ્ય સભામાં લિખિતમાં આ જાણકારી આપી છે ગુપ્ત જાણકારી અનુસાર બાલાકોટમાં ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યું છે અને ભારત વિરૂદ્ધ ધાર્મિક અને જિહાદી શિક્ષા પાઠ્યક્રમને ફરીથી શરૂ કરી રહ્યા છે.

PoK ના બાલાકોટમાં જે જગ્યાએ થઇ હતી એર સ્ટ્રાઇક, ત્યાં ફરી સક્રિય થયા આતંકી

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના બાલાકોટ (Balakot)માં ફરી એકવાર આતંકવાદી કેમ્પો (Terror camps)ના સક્રિય હોવાની જાણકારી સામે આવી છે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) એ આ જાણકારી આપી છે. ગૃહ મંત્રાલયે બુધવારે રાજ્ય સભામાં લિખિતમાં આ જાણકારી આપી છે ગુપ્ત જાણકારી અનુસાર બાલાકોટમાં ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યું છે અને ભારત વિરૂદ્ધ ધાર્મિક અને જિહાદી શિક્ષા પાઠ્યક્રમને ફરીથી શરૂ કરી રહ્યા છે. અહેમદ પટેલના પ્રશ્ન પર કેંદ્વીય ગૃહ રાજ્ય મંત્રીજી કિશન રેડ્ડીએ જવાબ આપ્યો.

અહેમદ પટેલે પ્રશ્ન કર્યો હતો કે શું સરકારને એ વાતની જાણકારી છે કે પાકિસ્તાનના બાલાકોટમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યા છે. તેનો સામનો કરવા માટે સરકારે શું પગલાં ભર્યા છે?

તેના જવાબમાં કેંદ્વીય ગૃહ રાજ્ય મંત્રીજી કિશન રેડ્ડીએ કહ્યું કે સરકારના ગુપ્ત સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે કે બાલાકોટમાં ફરી એકવાર પાકિસ્તાની આતંકવાદી સંગઠન સક્રિય થઇ રહ્યા છે અને ભારત વિરૂદ્ધ ધાર્મિક જિહાદી શિક્ષા પાઠ્યક્રમને શરૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકાર દેશની સીમાઓની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news