29 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે ખાસ શુભ સંયોગ

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે 3 ઓગસ્ટ પર રક્ષાબંધન (Raksha bandhan 2020) નો તહેવાર પડી રહ્યો છે. ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે બહુ જ ખાસ બની રહેશે. કારણ કે, આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દીર્ઘાયુ આયુષ્યમાનનો શુભ સંયોગ બની રહ્યો છે.  જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, રક્ષાબંધન પર આવો શુભ સંયોગ 29 વર્ષ બાદ આવી રહ્યો છે. સાથે જ આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો છાંયડો પણ રક્ષાબંધન પર પડી નથી રહી. 
29 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે ખાસ શુભ સંયોગ

ઝી મીડિયા/બ્યૂરો :રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે 3 ઓગસ્ટ પર રક્ષાબંધન (Raksha bandhan 2020) નો તહેવાર પડી રહ્યો છે. ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે બહુ જ ખાસ બની રહેશે. કારણ કે, આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દીર્ઘાયુ આયુષ્યમાનનો શુભ સંયોગ બની રહ્યો છે.  જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, રક્ષાબંધન પર આવો શુભ સંયોગ 29 વર્ષ બાદ આવી રહ્યો છે. સાથે જ આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો છાંયડો પણ રક્ષાબંધન પર પડી નથી રહી. 

અમદાવાદને કોરોના મુક્ત કરાવવા AMC નો મોટો નિર્ણય, ગરીબ દર્દીઓને HRCT ટેસ્ટ ફ્રીમાં કરાવશે

આ છે શુભ સંયોગ
આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દિર્ઘાયુ આયુષ્યમાન યોગની સાથે જ સૂર્ય શનિનો સમસપ્તક યોગ, સોમવતી પૂર્ણિમા, મકરનો ચંદ્રમા શ્રવણ નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર અને પ્રીતિ યોગ બની રહ્યો છે. આ પહેલા આ સંયોગ વર્ષ 1991ના રોજ બન્યો હતો. આ સંયોગને કૃષિ ક્ષેત્ર માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. 

રક્ષાબંધનના શુભ મુહૂર્ત

  • રાખડી બાંધવાનું મુહૂર્ત  09:27:30 થી 21:11:21 સુધી 
  • રક્ષાબંધન આરંભ મુહૂર્ત  13:45:16 થી 16:23:16 સુધી 
  • રક્ષાબંધન પ્રદોષ મુહૂર્ત 19:01:15 થી 21:11:21 સુધી
  • મુહૂર્ત સમય - 11 કલાક 43 મિનીટ

સુરતમાં આવતી-જતી તમામ બસો સોમવારથી 10 દિવસ માટે બંધ

રક્ષાબંધનના દિવસે ગુરુ પોતાની રાશિ ધનમાં અને શનિ મકરમાં વક્રી રહેશે. આ દિવસે ચંદ્ર પણ શનિ સાથે મકર રાશિમાં રહેશે. આવો યોગ 558 વર્ષ પહેલાં 1462માં બન્યો હતો. તે વર્ષમાં 22 જુલાઈએ રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાહુ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં છે. 1462માં પણ રાહુ-કેતુની આ સ્થિતિ હતી. રક્ષાબંધનનો આ યોગ મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, મીન રાશિના લોકો માટે ગ્રહોનો યોગ શુભ રહેશે. મિથુન, સિંહ, તુલા, કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ લોકોને સમયનો સાથ મળશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news