મુંબઈના હીરાના વેપારીની હત્યા મામલે થયો મોટો ખુલાસો, મોડલ અને શૂટર્સને અપાયા હતાં 5 લાખ

હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યા બાદ મુંબઈ  પોલીસે એક રાજનેતાની ધરપકડ કરી છે.

મુંબઈના હીરાના વેપારીની હત્યા મામલે થયો મોટો ખુલાસો, મોડલ અને શૂટર્સને અપાયા હતાં 5 લાખ

મુંબઈ: હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યા બાદ મુંબઈ  પોલીસે એક રાજનેતાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક જાણીતી મોડલ અને ટીવી અભિનેત્રીની અટકાયત કરીને તેમની પૂછપરછ ચાલુ છે. ટીવી અભિનેત્રી દેબોલિના બેનરજીની પણ પૂછપરછ થઈ રહી છે. આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અધિકારીઓએ શનિવારે કહ્યું કે રાજનીતિજ્ઞ સચિન પવાર કથિત રીતે મૃતકની નજીકનો હતો. પોલીસે સચિન પવાર અને દિનેશ પવારની ધરપકડ કરી લીધી છે. 

આ મામલે સૂત્રોના હવાલે એક વધુ કહાની સામે આવી રહી છે. જે મુજબ સચિન પવારે હીરાના વેપારી રાજેશ્વરની હત્યા માટે બે પ્રોફેશ્નલ શૂટર્સ અને એક મોડલને હાયર કર્યા હતાં. તેમણે મોડલને કહ્યું કે તેઓ ફક્ત મજાકીયા અંદાજમાં વીડિયો બનાવી રહ્યાં છે. તેમાં તેણે એક્ટિંગ કરવાની છે. સચિને આ માટે શૂટર્સ અને મોડલને 5 લાખ રૂપિયા આપ્યાં. જેમાં મોડલને કહેવાયું હતું કે વીડિયોમાં રાજેશ્વરનું ફક્ત મજાક તરીકે ગળું દબાવવામાં આવશે. પરંતુ આ શૂટિંગ દરમિયાન મોડલને એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ કોઈ મજાક નથી. 

શૂટિંગ દરમિયાન તેણે કહ્યું કે આ મજાક નથી. ત્યારે તેને કહેવાયું કે આ મજાક નથી. પરંતુ આ અંગે તેણે કોઈને કહેવાનું નથી. આ મામલે હવે પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં ટીવી અભિનેત્રી દેબોલિનાની પૂછપરછ ચાલુ જ છે. આ મામલે હજુ ક્લિન ચિટ તેને અપાઈ નથી. હજુ વધુ લોકોની પોલીસ પૂછપરછ  કરશે. 

સચિન પવાર મહારાષ્ટ્રના એક મંત્રીના પૂર્વ પીએ છે જ્યારે દિનેશ પવાર મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ છે. દિનેશ પર પહેલેથી જ બળાત્કારનો એક કેસ નોંધાયેલો છે અને તે સસ્પેન્ડેડ છે. ટીવી અભિનેત્રી દેબોલિના સચિન પવારની મિત્ર છે. દેબોલિના સાથ નિભાના સાથિયા સીરિયલમાં ગોપી વહુ તરીકે ખુબ ચર્ચામાં આવી હતી. 

हीरा व्यापारी की मिली लाश, कॉल डिटेल में निकला इस टीवी एक्ट्रेस का नाम

આ અગાઉ દેબોલિનાની ઘાટકોપરમાં પોલીસે અનેક કલાકો સુધી પૂછપરછ પણ કરી. ગાયબ થયેલા રાજેશ્વર ઉદાણીનો મૃતદેહ 3 દિવસ પહેલા રાયગઢ જિલ્લાના જંગલોમાંથી મળી આવ્યો હતો. અધિકારીઓએ જો કે હજુ સુધી આ મામલે દેબોલિનાની શું ભૂમિકા છે તેનો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ સંકેત આપ્યાં કે મનોરંજન ઉદ્યોગની કેટલીક મહિલાઓને પૂછપરછ માટે બોલાવામાં આવી શકે છે. 57 વર્ષના ઉદાણી 28 નવેમ્બરના રોજ તેમની ઓફિસથી ગાયબ થયા હતાં. પોલીસે લાપત્તા થયા હોવાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. તેમનો મોબાઈલ નવી મુંબઈના રબાલેમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેના સિગ્નલ ગાયબ થઈ ગયા હતાં. 

લગભગ એક અઠવાડિયા બાદ 4 ડિસેમ્બરના રોજ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો કારણ કે તેમને કોઈ ભાળ મળી નહતી  અને પરિવારને પણ કઈંક ગડબડ હોવાની શંકા ગઈ હતી. તેમના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે ઉદાણીએ તેને પંતનગર માર્કેટ પાસે છોડવાનું કહ્યું હતું. જ્યાં એક બીજી ગાડી આવી અને તેઓ તેમાં બેસી ગયાં હતાં. 

ઉદાણીનો મૃતદેહ ખુબ ખરાબ હાલાતમાં 5 ડિસેમ્બરે મળી આવ્યો હતો. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન નહતાં, કોઈ એવા ડોક્યુમેન્ટ પણ નહતાં કે તેમની ઓળખ થઈ શકે. તેમના પુત્રએ કપડાં અને જૂતાથી ઓળખ  કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news