2થી વધારે બાળકોવાળા વ્યક્તિઓ નહીં લડી શકે ચૂંટણી, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

ભાજપના નેતા અને વકિલ અશ્વિન ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે આ નિયમનું પાન નહી કરવા પર મતાધિકાર તેમજ ચૂંટણી લડવાના અધિકારો સહિત નાગરિકોને બંધારણીય અધિકારો પાછા ખેંચી લેવામાં આવે.

2થી વધારે બાળકોવાળા વ્યક્તિઓ નહીં લડી શકે ચૂંટણી, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ સૂચના આપવા અનુરોધ કરવામાં આવ્યો છે કે રાજકીય દળના બે બાળકોના નિયમનું પાલન કરો અને બેથી વધારે સંતાનવાળા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં.

આ અરજીની સુનાવણી માટે આવતા અઠવાડીએ લિસ્ટેડ કરવામાં આવી શકે છે. તેમાં બે બાળકોના નિયમને સરકારી નોકરીઓ, સહાયતા તેમજ સબ્સિડી માટે અનિવાર્ય શરત જાહેર કરે તથા પ્રદેશ સ્તરીય અથવા રાષ્ટ્રીય દળની માન્યતાની શરતથી સંબંધિત કાયદામાં ઉપયુક્ત ફરેફાર કરવાની માંગ પણ કરી છે.

ભાજપના નેતા અને વકિલ અશ્વિન ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે આ નિયમનું પાન નહી કરવા પર મતાધિકાર તેમજ ચૂંટણી લડવાના અધિકારો સહિત નાગરિકોને બંધારણીય અધિકારો પાછા ખેંચી લેવામાં આવે.

જણાવી દઇએ કે કંઇક આવું જ નિવેદન યોગગુરુ રામદેવએ પણ થોડા દિવસ પહેલા આપ્યું હતું. હમંશા વધતી જનસંખ્યા પર ચિંતા જાહેર કરનાર યોગ ગુરૂ રામદેવે કહ્યું હતું કે જેમના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી નોકરી આપવી જોઇએ નહીં.

વધતી જનસંખ્યાને જોતા આ રીતના એક્શનની જરૂરિયાત પર બોલતા રામદેવે કહ્યું હતું કે, દેશની આઝાદીના નિયંત્રિત કરવા માટે એવા લોકોનું મતાધિકાર, સરકારની નોકરી અને સરાકરી મેડિકલ સુવિધા આપવી જોઇએ નહી કે બેથી વધારે બાળકો હોય.

આ સાથે જ યોગ ગુરૂ રામદેવે કહ્યું, આવા લોકોને ચૂંટણી લડાવા દેવી જોઇએ નહીં. સરકારી સ્કૂલોમાં દાખલો આપવા જોઇએ નહીં. સરકારી હોસ્પિટલમાં ઉપચાર અને સરકારી નોકરીઓ મળવી જોઇએ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news