મુંબઈ તો વુહાનથી પણ આગળ નીકળી ગયું, સંક્રમિતોના આંકડાએ તોડ્યો રેકોર્ડ

કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 58 મૃત્યુ સાથે મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1760 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 
મુંબઈ તો વુહાનથી પણ આગળ નીકળી ગયું, સંક્રમિતોના આંકડાએ તોડ્યો રેકોર્ડ

મુંબઈ: કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 58 મૃત્યુ સાથે મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1760 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 2259 કેસ સામે આવ્યાં બાદ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 90787 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 120 મૃત્યુ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 3289 થઈ છે. 

મુંબઈમાં લોકલ ટ્રેન, સલૂન, ધાર્મિક સ્થળ અને મોલ્સ હજુ પણ બંધ છે. આમ છતાં મહારાષ્ટ્ર અને મુંબઈના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા છે. બધાના મનમાં એ જ સવાલ છે કે આખરે કોરોનાના કેસની આ વધતી રફતાર ક્યારે અટકશે.

દેશ માટે રાહતના સમાચાર પણ આવ્યાં છે, સાજા થનારા દર્દીઓ વધ્યા
દેશમાં કોરોના (Corona Virus)  સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 50 ટકાથી વધુ છે. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 7745 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 276583 કેસ નોંધાયેલા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે 9 વાગે અપાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ દેશમાં કોરોનાના  133632 એક્ટિવ કેસ છે જ્યારે 135206 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસની સરખામણીએ 50 ટકા વધુ છે. આ બાજુ નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9985 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 279 લોકોના છેલ્લા 24 કલાકમાં કોવિડ 19થી મૃત્યુ થયા છે. રિકવરી રેટ 48.88 ટકા છે. 

જુઓ LIVE TV

આઈસીએમઆર તરફથી સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યા રોજ વધારવામાં આવી રહી છે. દેશમાં ખાનગી અને સરકારી બંને લેબ કોરોના ટેસ્ટની તપાસ કરી રહી છે. આઈસીએમઆરના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં  5061332 સેમ્પલ ટેસ્ટ થયા છે. ગઈ કાલે 24 કલાકની અંદર દેશમાં કોરોનાની તપાસ માટે 145216 સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. 

કોરોના સંક્રમણના કેસ ભલે દેશમાં દિનપ્રતિદિન વધી રહ્યાં હોય પરંતુ દેશ માટે એક સારા સમાચાર એ છે કે પહેલીવાર દેશમાં કોરોનાના હાલના દર્દીઓની સંખ્યા કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો વધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news