મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે 

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે. 
મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે 

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે. 

એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે 'મને જણાવવામાં આવ્યું છે કે  ભાજપના નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અમે નક્કી કર્યું છે કે અમે તેમને એનસીપીમાં સામેલ કરીશું. સત્તાવાર રીતે શુક્રવારે બપોરે 2 વાગે તેઓ NCPમાં સામેલ થશે. એવું કહેવાય છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતચીત ચાલુ હતી. આવામાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કોઈ મંત્રી પદ સંભાળી શકે છે.

— ANI (@ANI) October 21, 2020

એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલ શિવસેના પાસે જ છે. છેલ્લા કેટલાક સમયથી એ વાતની અટકળો થઈ રહી હતી કે એકનાથ ખડસે ભાજપ છોડી શકે છે. કારણ કે પાર્ટીમાં તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. રવિવારે એવી વાત સામે આવી હતી કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે આ દાવાને ફગાવ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ આમ કરશે નહીં. 

આ બધી ઉથલપાથલ વચ્ચે એનસીપી નેતા શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે એકનાથ ખડસેનું મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. આવામાં જ્યારે તેમને પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. 

BJP के वरिष्ठ नेता ने कहा पार्टी में एक कोई 'शनि', जो बर्बाद कर रहा उनका  करियर | I know who is the 'shani' who ruined my career: Eknath Khadse

(એકનાથ ખડસે, ફાઈલ ફોટો)

અત્રે જણાવવાનું કે વર્ષ 2015માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી ખડસેની રાજકીય કારકિર્દી પર ગ્રહણ લાગ્યું છે. એકનાથ ખડસેના સમર્થકોનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસના કારણે જ તેમને સાઈડલાઈન કરાઈ રહ્યા છે. 

ત્યારબાદ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળી નહતી. એટલે તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર સીધા હુમલા કરવાના શરૂ કરી દીધા હતા. જો કે તેમની પુત્રી રોહિણીને ટિકિટ મળી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા. આ ઉપરાંત એકનાથ ખડસેના વિસ્તાર જળગાવમાં હવે ગિરિશ મહાજનને પાર્ટી મહત્વ આપી રહી છે જે દેવેન્દ્ર ફડણવીસના નીકટના ગણાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news