એનસીપી આપશે શિવસેનાને સમર્થન? શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

એનસીપી પ્રમુખ શરદ પવારને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ એનસીપી ગઠબંધન અને તેમની સાથે આગળની રણનીતિ પર વિચાર કરીશું.

એનસીપી આપશે શિવસેનાને સમર્થન? શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળતુ જોવા મળી રહ્યું છે. પરંતુ આ બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના જ્યાં પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે ત્યાં ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા પર વિચાર કરી રહી છે. આવામાં એવા પણ સમાચાર આવી રહ્યાં છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી શિવસેનાને સમર્થન આપી શકે છે. જેથી કરીને ભાજપને સત્તામાંથી બહાર કરી શકાય. 

એનસીપી પ્રમુખ શરદ પવારને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ એનસીપી ગઠબંધન અને તેમની સાથે આગળની રણનીતિ પર વિચાર કરીશું. જ્યાં સુધી શિવસેના સાથે જવાની વાત છે તો કહી દઉ કે અમારી વિચારધારા તેમની સાથે મળતી નથી. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનના સવાલ પર શરદ પવારે કહ્યું કે શિવસેનાની સાથે વિચારધારા મળતી નથી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને થોડો ફટકો પડ્યો છે. આગળ છે પરંતુ બેઠકો ઓછી મળતી જોવા મળી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news