મહંત નરેન્દ્ર ગિરિને આવતીકાલે આપવામાં આવશે સમાધિ, CM યોગીએ કહ્યું-દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) ની ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી.

મહંત નરેન્દ્ર ગિરિને આવતીકાલે આપવામાં આવશે સમાધિ, CM યોગીએ કહ્યું-દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે

પ્રયાગરાજ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) ની ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી. લાશ પાસે મળેલી સુસાઇડ નોટમાં શિષ્ય આનંદ ગિરિ (Anand Giri) સહિત ઘણા લોકોના નામ હતા. નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) ના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિની ધરપકડ કરી લીધી છે. આનંદ ગિરિ વિરૂદ્ધ પ્રયાગરાજમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ શરીરના આવતીકાલે (22 સપ્ટેમ્બર) ના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ સમાધિ આપવામાં આવશે. 

યૂપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે 'અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિજી મહારાજના નિધનથી ખૂબ દુખી છું અને અમે બધા તેનાથી વ્યથિત છીએ. સંત સમાજ અને યૂપી સરકાર તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વયં ઉપસ્થિત થયો છું. વર્ષ 2019 માં કુંભના આયોજનમાં નરેન્દ્ર ગિરિજીનો સહયોગ મળ્યો હતો. આ ધાર્મિક અને આદ્યાત્મિક સમાજની અપૂરણીય ક્ષતિ છે.' યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે એક-એક ઘટનાનો પર્દાફાશ કરવામાં આવશે અને જે પણ દોષી હશે તેના વિરૂદ્ધ  સખત કાર્યવાહી થશે.  

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પ્રયાગરાજના બાઘંબરી મઠ પહોંચી ગયા છે. મુખ્યમંત્રીએ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ 
(Mahant Narendra Giri) ના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પણ નરેન્દ્ર ગિરિના અંતિમ દર્શન કર્યા. 

મહંતની મોતનું કારણ શું છે?
સોમવારે સંત સમાજને એક મોટો આંચકો અલગ્યો, અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું. પ્રયાગરાજમાં બાઘંબરી મઠના જે રૂમમાં નરેન્દ્ર ગિરિની લાશ મળી, તે અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને લાશ બહાર કાઢી. પોલીસે શરૂઆતી તપાસમાં તેને આત્મહત્યા ગણાવી છે. 

જે પ્રકારે મહંતથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને મોટા-મોટા નેતા આર્શિવાદ લેવા આવે છે. અહીં સુધી કે મોતના એક દિવસ પહેલાં જ યૂપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ તેમને મળ્યા હાઅ. તે દરમિયાન તેમના ચહેરા પર ખુશી હતી, કોઇ પ્રકારનો તણાવ ન હતો. તો સવાલ એ છે કે આખરે આવું કેમ થયું હતું, જેના લીધે મહંતને આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. 

સુસાઇડ નોટથી સામે આવશે સત્ય?
પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી 8 પાનની સુસાઇડ નોટ મળી હતી. પોલીસના અનુસાર સુસાઇડ નોટમાં તેમના શિષ્ય આનંદ ગિરિ (Anand Giri) નો ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં આદ્યા તિવારી અને સંદીપ તિવારીનો પણ ઉલ્લેખ છે. આદ્યા તિવારી લેટે હનુમાનજી મંદિરના વરિષ્ઠ પુજારી છે અને સંદીપ તિવારી તેમના પુત્ર છે. સુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ સામે આવ્યા બાદ હરિદ્વારા પાસેથી તેમની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગત રાત્રે આનંદ ગિરિની ધરપકડ કરી લીધા યૂપી રવાના થઇ હતી. 

મહંત નરેન્દ્ર ગિરિની સુસાઇડ નોટમાં શું?
પોલીસે મહંત નરેન્દ્ર ગિરિ (Narendra Giri) ના રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં નરેન્દ્ર ગિરિએ પોતાના શિષ્યથી નારાજગી વ્યક્ત કરી છે. પોલીસના અનુસાર નરેન્દ્ર ગિરીએ સુસાઇડ નોટમાં આત્મહત્યાની વાત લખી છે અને વસીયતનામું પણ લખ્યું છે. કેસમાં અખાડાની સંપત્તિ પર અધિકારનો વિવાદ સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે મહંત નરેન્દ્ર ગિરિએ આનંદ ગિરિને અખાડાથી બહાર કર્યા હતા. 

મોત પહેલાં નરેન્દ્ર ગિરિએ બનાવ્યો હતો વીડિયો
મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) એ મોત પહેલાં પોતાના મોબાઇલ વડે એક વીડિયો પણ બનાવ્યો હતો, જે પોલીસના હાથે લાગ્યો છે. પોલીસના અનુસાર નરેન્દ્ર ગિરિએ મોતના ઠીક પહેલાં 4 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે નરેન્દ્ર ગિરિના મોબાઇલને જપ્ત કરી લીધો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news