MP અને રાજસ્થાનમાં ભાજપનું  'મિશન ઓલ રાઉન્ડ', લોકસભા પહેલાંની સેમિફાઈનલ નક્કી કરશે દિલ્હીનું ભવિષ્ય

લોકસભાની ચૂંટણી પહેલાં એમપી અને રાજસ્થાનની ચૂંટણી ભાજપ માટે સેમિફાઈનલ છે. આ બંને રાજ્યોનું ભવિષ્ય લોકસભાનું ચિત્ર બદલશે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ બંને રાજ્યમાં સત્તા હાંસલ કરવા માગે છે.

MP અને રાજસ્થાનમાં ભાજપનું  'મિશન ઓલ રાઉન્ડ', લોકસભા પહેલાંની સેમિફાઈનલ નક્કી કરશે દિલ્હીનું ભવિષ્ય

લોકસભાની ચૂંટણી પહેલાં એમપી અને રાજસ્થાનની ચૂંટણી ભાજપ માટે સેમિફાઈનલ છે. આ બંને રાજ્યોનું ભવિષ્ય લોકસભાનું ચિત્ર બદલશે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ બંને રાજ્યમાં સત્તા હાંસલ કરવા માગે છે. રથ લઈને ચૂંટણી પ્રચાર માટે નીકળવું એ અડવાણી પેટર્ન છે. જેનો અમલ ગુજરાતમાં પણ કરાય છે. ગુજરાતમાં એલઈડી રથો લઇને દરેક વિધાનસભા કવર કરવામાં આવે છે.  દરેક વિધાનસભામાં એક નાની રેલી અને ત્રણ-ચાર વિધાનસભાને સાંકળતી મોટી રેલી યોજાતી હોય છે.. જેમાં રાજ્યના નેતાઓ ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વના લોકો અને કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ભાગ લેતા હોય છે. આ જ પેટર્નથી ભાજપ રાજસ્થાન અને ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા કાઢી રહી છે. આ યાત્રાઓ રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટ તો એમપીમાં 230  વિધાનસભા સીટોને કવર કરશે. જેમાં જુદા જુદા નેતાઓને આ યાત્રાઓને સફળ બનાવવાની જવાબદારી સોંપાઈ છે. એમપીમાં ભાજપ સરકારની સફળતા તો રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસ સરકારની નિષ્ફળતાનો ઢંઢોરો પીટશે. આ પહેલાં પણ આંધ્ર પ્રદેશમાં યાત્રા કાઢીને જગન રેડ્ડી સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યા છે. રાહુલ ગાંધી એનું તાજુ ઉદાહરણ છે. એ જ પેટર્ન પર ભાજપ આગળ વધી રહી છે. અડવાણીએ બાબરી ધ્વંસ બાદ પણ યાત્રા કાઢીને દેશમાં ભાજપનો મજબૂત પાયો નાખ્યો હતો. 

રાજસ્થાનમાં સરકારે 230 સીટોને કવર કરવા માટે અલગ અલગ 5 યાત્રાઓ કાઢવાનો નિર્ણય લીધો છે. યાત્રાઓ પૂર્ણ થતાં મોટી સભા યોજાશે. જેને મોદી સંબોધિત કરશે. ભાજપ જન આશીર્વાદ યાત્રા દ્રારા દરેક વિધાનસભાને કવર કરવા માગે છે. એટલે જ રાજસ્થાન અને એમપીમાં આ યાત્રાઓ નીકળી છે. બની શકે કે છત્તીસગઢમાં પણ આ જ ટ્રેન્ડ અજમાવાય. રાજસ્થાનમાં પહેલાં 5 નેતાઓને યાત્રાઓને જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં આંતરિક વિખવાદ વધે એવા સંજોગોને ધ્યાને લઈને ભાજપે આ નિર્ણય ટાળી દીધો છે. 
 
મધ્યપ્રદેશ (MP ચુનાવ 2023) માં સત્તામાં પાછા ફરવાના પ્રયાસમાં ભાજપે તેનું 'મિશન ઓલ રાઉન્ડ' શરૂ કર્યું છે. એક તરફ જન આશીર્વાદ યાત્રા દ્વારા રાજ્ય સરકાર અને મોદી સરકારનો સંદેશ દરેક વિધાનસભા સુધી પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ, કેબિનેટ વિસ્તરણ દ્વારા તે વિસ્તારોમાં પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યાં પાર્ટીને લાગે છે કે સ્થિતિ નબળી પડી શકે છે. BJP (મધ્ય પ્રદેશ BJP) નારાજ નેતાઓને સમજાવી રહી છે અને બળવાખોર વલણ દાખવનારાઓને કડક સંદેશ આપી રહી છે.

પક્ષના નેતાઓની નારાજગી દૂર કરવાની યોજના
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે તેમને ઘણા વિસ્તારોમાંથી આવા અહેવાલો મળ્યા હતા. એક યા બીજા કારણોસર નેતાઓ નારાજ છે જેમનો ઓછામાં ઓછો 8-10 બેઠકો પર સારો પ્રભાવ છે. હવે વરિષ્ઠ નેતાઓ પણ આવા નેતાઓને મળી રહ્યા છે અને તેમની ફરિયાદના નિવારણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપે 39 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

પ્રથમ યાદી બાદ હવે બીજેપી ટૂંક સમયમાં બીજી યાદીની તૈયારી 
માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં 50 થી 60 સીટો માટે ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. જે બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે ત્યાં ભાજપની અંદર પણ નારાજગીના અવાજો ઉઠી રહ્યા છે. અનેક ટિકિટના દાવેદારો પણ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આવા લોકોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ વિરોધ કે બળવો સ્વીકારવામાં આવશે નહીં અને ટિકિટમાં ફેરફાર કરવામાં આવશે નહીં.

યાત્રા માટે 7 રથ તૈયાર છે
ભાજપ દ્વારા રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા પણ કાઢવામાં આવી રહી છે. આ માટે સાત રથ તૈયાર કરવામાં આવ્યા છે. પાંચ અલગ-અલગ યાત્રાઓ નીકળશે અને સાથે મળીને દરેક વિધાનસભાને આવરી લેશે. યાત્રા દરમિયાન દરેક વિધાનસભામાં એક નાની રેલી અને ત્રણ-ચાર વિધાનસભાને સાંકળતી મોટી રેલી હશે. જેમાં રાજ્યના નેતાઓ ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વના લોકો અને કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ભાગ લેશે. યાત્રી 2જી સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25મી સપ્ટેમ્બર સુધી ચાલશે. 25 સપ્ટેમ્બરે ભોપાલમાં કાર્યકરોનો મહાકુંભ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી શકે છે.

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news