જમ્મુ - કાશ્મીર BJPનાં પ્રદેશ સચિવની ગોળી મારીને હત્યા, ભાઇનું પણ મોત

જમ્મુ કાશ્મીરમાં એક અજાણ્યા વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહારની ગોળી મારીને હત્યા કરી દીધી

જમ્મુ - કાશ્મીર BJPનાં પ્રદેશ સચિવની ગોળી મારીને હત્યા, ભાઇનું પણ મોત

કિશ્તવાડ : જમ્મુ - કાશ્મીરના કીશ્તવાડમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એક અજાણ્યા હૂમલાખોરે અનિલ પરિહાર પર ગોળીઓનો વરસાદ કરી દીધો ત્યાર બાદ તેમનું મોત થઇ ગયું હતું. 

બીજી તરફ ઘટના સ્થળ પર હાજર અનિલ પરિહારનાં ભાઇ અજીત પરિહારને પણ ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સ્થળેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું. 

હૂમલા અંગે માહિતી મેળવીને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી દીધી છે. જો કે હજી સુધી હૂમલાખોરોની ઓળખ થઇ શકી નથી. પ્રદેશ ભાજપ મહાસચિવ અશોક કૌલે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરનાં કિશ્તવાડા જિલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને 2 ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરી દીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news