આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ: મમતા બેનરજીએ કહ્યું- દેશમાં લાગુ છે 'સુપર ઈમરજન્સી'

પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનરજી(Mamata Banerjee)એ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy)ના અવસરે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હાલ દેશમાં સુપર ઈમરજન્સી (Super Emergency) લાગુ છે. મમતાએ કહ્યું કે બંધારણ દ્વારા મળેલા અધિકારો અને સ્વતંત્રતાની આપણે રક્ષા કરવી જોઈએ. '

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ: મમતા બેનરજીએ કહ્યું- દેશમાં લાગુ છે 'સુપર ઈમરજન્સી'

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનરજી(Mamata Banerjee)એ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy)ના અવસરે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હાલ દેશમાં સુપર ઈમરજન્સી (Super Emergency) લાગુ છે. મમતાએ કહ્યું કે બંધારણ દ્વારા મળેલા અધિકારો અને સ્વતંત્રતાની આપણે રક્ષા કરવી જોઈએ. '

મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું  કે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે આપણે ફરી એકવાર બંધારણીય મૂલ્યોની રક્ષાનો સંકલ્પ લઈએ. સુપર ઈમરજન્સીના આ દોરમાં આપણે બંધારણે આપણને આપેલા છે તે અધિકારો અને સ્વતંત્રતાની રક્ષા કરવી પડશે. 

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી મોદી સરકારના પ્રખર ટીકાકાર બનેલા છે. હાલમાં જ તેઓએ (28 ઓગસ્ટ) કેન્દ્ર પર એજન્સીઓનો ઉપયોગ  કરીને તેમની સરકારનું ગળું ઘોંટવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ભલે તેમણે જેલમાં જવું પડે પરંતુ તેઓ ભાજપ આગળ ઝૂકશે નહીં. 

જુઓ LIVE TV

મમતાએ પોતાના અનેક રાજ્યોના મંત્રીઓ અને પાર્ટી નેતાઓને સીબીઆઈ દ્વારા સમન પાઠવવામાં આવેલા હોવાનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે ભાજપ બંગાળ પર  કબ્જો જમાવવાની કોશિશ કરી રહ્યું છે કારણ કે તેમની પાર્ટી તેમના અત્યાચારોનો વિરોધ કરે છે અને લડે છે. 

કોલકાતામાં એક વિદ્યાર્થી રેલી દરમિયાન મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ બંગાળ પર કબ્જો જમાવવા માંગે છે કારણ કે અમે વિરોધ કરીએ છીએ અને તેમની સામે લડીએ છીએ. અમારા અવાજને દબાવી શકાશે નહીં. અમને મોતનો ડર નથી. અમને એજન્સીઓનો ડર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news