Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાના નવા 62 હજારથી વધુ કેસ, આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ હવે કાબૂમાં આવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 62 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 2500થી વધુ લોકોના મોત થયા છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા 60,471 કેસ નોંધાયા હતા જ્યારે 2726 લોકોના મૃત્યુ થયા હતા. 

Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાના નવા 62 હજારથી વધુ કેસ, આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ હવે કાબૂમાં આવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 62 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 2500થી વધુ લોકોના મોત થયા છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા 60,471 કેસ નોંધાયા હતા જ્યારે 2726 લોકોના મૃત્યુ થયા હતા. 

નવા 62 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62,224 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,96,33,105 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 8,65,432 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં એક દિવસમાં 1,07,628 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,83,88,100 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

Total cases: 2,96,33,105
Total discharges: 2,83,88,100
Death toll: 3,79,573
Active cases: 8,65,432

Total Vaccination: 26,19,72,014 (28,00,458 in last 24 hrs) pic.twitter.com/mEVj5dNxHZ

— ANI (@ANI) June 16, 2021

એક દિવસમાં 2500થી વધુ મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2542 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોનાથી 3,79,573 લોકોએ જીવ ગુમાવ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 26,19,72,014 ડોઝ અપાયા છે. જેમાંથી 28,00,458 ડોઝ ગઈ કાલે અપાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news