Corona Update: કોરોનાની ત્રીજી લહેર શરૂ? નવા કેસમાં તોતિંગ વધારો, 24 કલાકમાં 369 દર્દીઓના મોત

દેશભરમાં કોરોનાના નવા કેસમાં 21.3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.

Corona Update: કોરોનાની ત્રીજી લહેર શરૂ? નવા કેસમાં તોતિંગ વધારો, 24 કલાકમાં 369 દર્દીઓના મોત

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના નવા કેસમાં 21.3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 369 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

એક દિવસમાં 37 હજારથી વધુ કોરોના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37,875 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,30,96,718 પર પહોંચી  છે. એક દિવસમાં 39,114 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,22,64,051 થઈ છે. હાલ દેશભરમાં કોરોનાના 3,91,256 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 31,222 દર્દીઓ નોંધાયા હતા. 

24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 369 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા મોતનો આંકડો 4,41,411 પર પહોંચી ગયો છે. કોરોનાને ડામવા માટે ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 70,75,43,018 ડોઝ આપવામાં  આવ્યા છે જેમાંથી 78,47,625 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા. 

Total cases: 3,30,96,718
Active cases: 3,91,256
Total recoveries: 3,22,64,051
Death toll: 4,41,411

Total vaccination: 70,75,43,018 (78,47,625 in last 24 hours) pic.twitter.com/jDuSq7ZT5s

— ANI (@ANI) September 8, 2021

એઈડ્સ, ટીબી, મલેરિયા જેવી  બીમારીઓ વિરુદ્ધ ચાલતી જંગમાં ખરાબ અસર
અત્રે જણાવવાનું કે કોરોના મહામારીએ દુનિયામાં ઘાતક બીમારીઓ જેમ કે એચઆઈવી એઈડ્સ, મલેરિયા ને ટ્યૂબરક્લોસિસ એટલે કે ટીબી વિરુદ્ધ ચાલતી જંગ પર વિનાશકારી અસર નાખી છે. ગ્લોબલ ફંડના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020ના આંકડા અલગ કહાની જણાવે છે. ગ્લોબલ  ફંડના પીટર સેન્ડસે કહ્યું કે અમને કોવિડ-19ને લઈને આશંકા હતી તે સાચી સાબિત થઈ છે. ફંડે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એચઆઈવી ટેસ્ટિંગ અને રોકથામ સંબંધિત સેવાઓમાં ખુબ ઘટાડો નોંધાયો છે.

ફંડના કાર્યકારી નિદેશક પીટર સેન્ડસે કહ્યું કે સંગઠનની 20મી વર્ષગાંઠ પર અમારો રિપોર્ટ મોટા ફેરફારોને સામે લાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં આપણે એચઆઈવી, ટીબી અને મેલેરિયા સામે જે જંગ લડી હતી તેના પર કોરોના મહામારીની ભયાનકતા ભારે સાબિત થઈ છે. પહેલીવાર અમારી તપાસ, પરિણામો અને પરિણમ પહેલાના મુકાબલા નિરાશાજનક રહ્યા છે. એચઆઈવી સંબધિત તપાસ અને રોકથામના અભિયાનો પર ભારે અસર થઈ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news