Corona Update: કોરોના તારા વળતા પાણી!, મળ્યા આ સારા સમાચાર, જાણીને ઉછળી પડશો

દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Corona Update: કોરોના તારા વળતા પાણી!, મળ્યા આ સારા સમાચાર, જાણીને ઉછળી પડશો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો 209 દિવસમાં સૌથી ઓછો નોંધાયેલો આંકડો છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 263 લોકોના મોત થયા છે. 

209 દિવસમાં સૌથી ઓછા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 18,346 દર્દીઓ નોંધાયા છે. જે છેલ્લા 209 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. હાલ દેશમાં 2,52,902 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં હાલ કોરોના વાયરસથી રિકવરી રેટ 97.93% ટકા છે. નવા નોંધાયેલા કુલ કેસમાંથી 8,850 કેસ એકલા કેરળમાં નોંધાયા છે. જ્યારે 149 મૃત્યુ નોંધાયા છે. 

— ANI (@ANI) October 5, 2021

કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ દેસમાં 1.66 ટકા છે. જે છેલ્લા 102 દિવસથી 3 ટકા નીચે જળવાઈ રહ્યો છે. ડેઈલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો હાલ તે 1.61 ટકા છે જે છેલ્લા 36 દિવસથી 3 ટકા નીચે છે. કોરોનાને નાથવા માટે થઈ રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 91.54 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 72,51,419 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news