Corona cases in India: કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો, એક દિવસમાં આટલા લોકોના થયા મૃત્યુ

Covid 19 Cases in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Corona cases in India: કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો, એક દિવસમાં આટલા લોકોના થયા મૃત્યુ

નવી દિલ્હી: Covid 19 Cases in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.72 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

નવા 1.72 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડામાં કોરોનાના નવા 1,72,433 દર્દીઓ નોંધાયા છે. જેમાં અગાઉ કરતા 6.8 ટકાનો વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોરોનાના 15,33,921 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,59,107 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો છે. 

Active cases: 15,33,921
Death toll: 4,98,983
Daily positivity rate: 10.99%

Total vaccination: 167.87 crore pic.twitter.com/ZgQtIloAzu

— ANI (@ANI) February 3, 2022

એક દિવસમાં 1008 દર્દીના મોત
કોરોનાથી એક દિવસમાં દેશભરમાં 1008 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 4,98,983 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાંથી અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાથી રિકવરી રેટ હાલ 95.14% થયો છે. 

અત્રે જણાવવાનું કે ભારત સહિત દુનિયાભરના 190થી વધુ દેશ કોરોનાથી પ્રભાવિત છે. દુનિયામાં અત્યાર સુધીમાં 38 કરોડ 14 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસ 56 લાખથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના અનેક દેશોની સાથે સાથે ભારતમાં પણ કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. જો કે તેને નાથવા માટે કોરોના રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news