Thursday Remedies: ગુરૂવારે કાચા કોલસાથી કરો આ ઉપાય, વેપારમાં થશે તગડો નફો

Thursday Remedies: જ્યોતિષ શાસ્ત્રમાં અલગ અલગ સમસ્યાઓ માટે અલગ અલગ દિવસ અને ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે ગુરૂવાર સૌથી ખાસ દિવસ છે. 
 

Thursday Remedies: ગુરૂવારે કાચા કોલસાથી કરો આ ઉપાય, વેપારમાં થશે તગડો નફો

Guruwar Totke: આજે 3 નવેમ્બરને કાર્તિક શુક્લની દશમી તિથિ અને ગુરૂવારનો દિવસ છે. તમને જણાવી દઇએ કે આજનો દિવસ અને કાલે સવારે 4 નવેમ્બર 5:25 મિનિટ સુધી ધ્રુવ યોગ રહેશે. કહેવામાં આવે છે કે યોગમાં કોઇપણ સ્થિર કાર્ય જેમ કે ભવન નિર્માણ કાર્યોમાં સફળતા મળે છે. પરંતુ આ યોગમાં કોઇપણ પ્રકારની ગાડી અથવા વાહન ખરીદવું અશુભ ગણવામાં આવે છે. આજે ગુરૂવારનો દિવસ પોતાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેને અજમાવવાથી વ્યક્તિને જીવનમાં તમામ દુખોમાંથી છુટકારો મળે છે. 

ગુરૂવારના દિવસે કરો આ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર પોતાના દામ્પત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે હાથીના પગ નીચે દબાયેલી માટી અથવા જ્યાં હાથી ચાલ્યો તેની માટી ઘરમાં લાવીને રાખી લો. તો બીજી તરફ જો સંભવ ન હોય તો બજારમાંથી માટી અથવા કોઇ ધાતુથી બનેલી હાથીની મૂર્તિ ખરીદી લાવો. ત્યારબાદ તેને પોતાની બેડરૂમના ટેબલ પર અથવા કોઇ શોકેસમાં રાખી દો. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં મુધરતા આવશે.  

- બિઝનેસમાં ફાયદો અને પ્રગતિ મેળવવા માટે ગુરૂવારના દિવસે પોતાના વજનનો દસમો ભાગ કાચા કોલસામાંથી નિકાળી લો. માની લો તમારું વજન 50 છે, તો તેનો 5 ટકા 5 કિલો કાચો કોલસો વહેતા પાણીમાં પ્રવાહીત કરી દો. તેનાથી તમારા બિઝનેસ ફાયદો મળવા લાગશે. 

- પેટ સંબંધી સમસ્યાઓ અથવા સ્વાસ્થ્યને એકદમ સારું કરવા માટે તમારા વજનના બરાબર જે ઘઉં તોલાવી લો. હવે તેમાં થોડા ઘઉ અથવા જવ નિકાળી લો અને તેને વહેતા જળમાં પ્રવાહિત કરો. બાકી બચેલા જવને કોઇ મંદિર અથવા ધર્મસ્થળ પર દાનમાં આપી દો. આ ઉપરાંત આજના દિવસે કિચનમાં બેસીને જ જમો. તેનાથી તમામ પેટ સંબંધી બિમારીઓ દૂર થશે અને સ્વાસ્થ્ય સારું થશે. 

- મનગમતું પ્રમોશન અને સારી કંપનીમાં નોકરી માટે બજારમાંથી શિંગોડાનો લો લઇ આવો. ઘર લઇને તેની રોટલી બનાવો અને બે મૂળા રાખીને કોઇ મંદિર વગેરેમાં દાન કરી દો. તેનાથી મનગમતી નોકરી અથવા પ્રમોશન મળે છે. તો બીજી તરફ સારી કંપનીમાં નોકરીની શોધ પણ જલદી પુરી થાય છે. 

- જો તમે કોઇ મુસીબતમાં ફસાયેલા છો અને બાહર નિકળવાનો રસ્તો મળી રહ્યો નથી. તો ગુરૂવારના દિવસે લોટમાં ચોમુખી દીવો સરસિયાના તેલથી ભરો. તેમાં એક દિવો પ્રગટાવો અને ઘરના આંગણામાં દીપક પ્રગટાવો. અહીં આસન પાથરી લો અને 11 વાર રાહુના મંત્ર 'ॐ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम:।' નો જાપ કરો. તેનાથી જલદી જ તમામ મુસીબતોમાંથી બહાર નિકળી જશો. 

- આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે ઘરના તમામ સભ્યોને ગુરૂવારના દિવસે એક-એક કાચુ નારિયેળ આપો. 10 મિનિટ બાદ તેનાથી તે નારિયળ પરત લઇ લો. હવે તે તમામ નારિયેળને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારા માટે પ્રાર્થના કરતાં કોઇ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી આર્થિક સ્થિતિમાં જલદી સુધારો આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news