Ganesh Chaturthi 2023: 69 કિલો સોના, 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી છે મુંબઈમાં ભગવાન ગણેશની મૂર્તિ, Video

Ganesh Chaturthi Today 2023:  આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે અને ચારેબાજુ ગણેશ પૂજા કરવામાં આવી રહી છે.

Ganesh Chaturthi 2023: 69 કિલો સોના, 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી છે મુંબઈમાં ભગવાન ગણેશની મૂર્તિ, Video

Ganesh Chaturthi Today 2023:  આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે અને ચારેબાજુ ગણેશ પૂજા કરવામાં આવી રહી છે. આવા જ એક પંડાલમાં ભગવાન ગણેશને 69 કિલો સોના અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે.

મુંબઈના વડાલાના GSB ગણેશ મંડળને એક વીમા કંપની પાસેથી રૂ. 360.40 કરોડનો વીમો મળ્યો છે. મંડળના ઉપાધ્યક્ષ રાઘવેન્દ્ર ભટે જણાવ્યું હતું કે મહાગણપતિની મૂર્તિને 66 કિલોથી વધુ સોનાના ઘરેણા અને 336 કિલો ચાંદી અને અન્ય કિંમતી સામગ્રીઓથી શણગારવામાં આવી છે. તેથી જ મંડળે ઘરેણાં અને ગણેશ ભક્તોની સુરક્ષા માટે 360.40 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમાની રકમમાં 38.47 કરોડ રૂપિયાના સોના, ચાંદી અને અન્ય ઝવેરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંડાલ, દર્શન માટે આવતા ભક્તો, સ્વયંસેવકો, પૂજારી, રસોઈયા, સ્ટોલ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ વગેરેનો 321 કરોડ રૂપિયાનો વીમો સામેલ છે.

મૂર્તિઓને ગણેશ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા આભૂષણોથી શણગારવામાં આવે છે અને અહીં પાંચ દિવસ સુધી સતત ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આવે છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી ગણેશ મંડળ દર વર્ષે ઘરેણાં અને સેવામાં રોકાયેલા લોકોની સુરક્ષા માટે વીમો આપે છે.

The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6

— ANI (@ANI) September 18, 2023

મોટી સંખ્યામાં આવે છે લોકો
મંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જીએસબી સેવા મંડળ માટે જાહેર ગણેશ ઉત્સવનું આ 69મું વર્ષ છે. શહેરમાં આ એકમાત્ર ગણેશ મંડળ છે, જ્યાં ચોવીસ કલાક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી દર્શન માટે મોટી ભીડ આવે છે, તેમની સુરક્ષા અને દેખરેખ માટે પંડાલમાં હાઇ ડેન્સિટી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરરોજ 50 હજાર ભક્તો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા છે. અહીં ભક્તો દ્વારા ભગવાન મહાગણપતિને સરેરાશ 60 હજાર પૂજા અને સેવાઓ અર્પણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news