શું દિલ્હીમાં ભાજપ ફરીથી જીતશે સાત સીટો? કોંગ્રેસ-આપ ખોલી શકશે ખાતું?

રાષ્ટ્રીય રાજધાનીમાં આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે (ગુરૂવારે)મતોની ગણતરી થશે, જેમાં લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.  
શું દિલ્હીમાં ભાજપ ફરીથી જીતશે સાત સીટો? કોંગ્રેસ-આપ ખોલી શકશે ખાતું?

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે (ગુરૂવારે)મતોની ગણતરી થશે, જેમાં લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.  

દિલ્હીમાં લોકસભાની સાત સીટો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો ગણવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં દિલ્હીના લગભગ 1.43 કરોડ મતદારોમાંથી 60.21 ટકાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારોમાં દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, કેંદ્વીય મંત્રી, ડો.હર્ષવર્ધાન અને ક્રિકેટરમાંથી ગૌતમ ગંભીર સામેલ છે. 

ઉત્તર પૂર્વી દિલ્હી લોકસભા ક્ષેત્રમાંથી શીલા દીક્ષિતની વિરૂદ્ધ ભાજપ સાંસદ મનોજ તિવારી ઉભા છે. આ ઉપરાંત ભાજપના હાલના સાંસદ મીનાક્ષી લેખી, ઓલમ્પિક બોક્સર વિજેંદર સિંહ અને 'આપ'ની આતિશી પણ મેદાનમાં છે. 

ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં સાતેય સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. તે ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહેલી કોંગ્રેસ વાપસીની આશાઓ લગાવીને બેઠી છે. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન કેંદ્વો પર અને આસપાસમાં સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news