દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલની અપીલઃ શાંતિ જાળવો, હિંસા સહન કરવામાં નહીં આવે

કેજરીવાલે (Kejriwal) લખ્યું કે, "મારી તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ (Peace) જાળવો રાખો. એકસભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરી શકાશે નહીં. હિંસાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તમારી વાત શાંતિથી રજુ કરો." દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. 

દિલ્હીના સીએમ અને ઉપરાજ્યપાલની અપીલઃ શાંતિ જાળવો, હિંસા સહન કરવામાં નહીં આવે

નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન એક્ટ(Citizenship Amendment Act) સામે અને જામિયામાં(Jamiya) થયેલી ઘટના પછી હવે નોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદમાં પણ આંદોલન તેજ બન્યું છે. પોલીસ તંત્ર સહિત દરેક જવાબદાર નાગરિકો લોકોને શાંતિની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) જનતાને શાંતિની અપીલ(Appeal for Peace) કરતા ટ્વીટ કરી છે. 

કેજરીવાલે (Kejriwal) લખ્યું કે, "મારી તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ (Peace) જાળવો રાખો. એકસભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરી શકાશે નહીં. હિંસાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તમારી વાત શાંતિથી રજુ કરો."

— Arvind Kejriwal (@ArvindKejriwal) December 17, 2019

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બેજલે ટ્વીટ કરતા લખ્યું છે કે, "તમામ દિલ્હીવાસીઓને મારી અપીલ છે કે, શાંતી જાળવી રાખો. કોઈ પણ પ્રકારની હિંસામાં ભાગ ન લેવો અને હિંસક તત્વોની માહિતી તાત્કાલિક દિલ્હી પોલીસને આપો. હિંસા ગેરકાયદે તો છે જ, સાથે જ અમાનવીય પણ છે. તમારી વાત શાંતિપૂર્ણ રીતે લોકતાંત્રિક માધ્યમોને જણાવો."

— LG Delhi (@LtGovDelhi) December 17, 2019

ઉલ્લેખનીય છે કે, નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય રાજધાની સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શને હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં જાહેર સંપત્તિને નુકસાન કરવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news