દિલ્હીના ઝાકિર નગર વિસ્તારમાં આગ લાગી, 6ના મોત અને 11 ઘાયલ 

રાજધાની દિલ્હીના ઝાકિર નગર વિસ્તારમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આ આગમાં 6 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.

દિલ્હીના ઝાકિર નગર વિસ્તારમાં આગ લાગી, 6ના મોત અને 11 ઘાયલ 

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઝાકિર નગર વિસ્તારમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આ આગમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 2 બાળકો સામેલ છે. એવું કહેવાય છે કે ઘટનાસ્થળેથી 20 લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા છે. આ આગની દુર્ઘટનામાં 11 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

જુઓ LIVE TV

મધરાતે લગભગ 2.30 કલાકે ફાયર વિભાગને આગ લાગી હોવાની સૂચના મળી હતી. જે ઈમારતમાં આ આગ લાગી હતી તે 4 માળનું મકાન હતું. આગ લાગતા જ બચવા માટે લોકોએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ વીજળીના મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું કહેવાય છે.

— Jitender Sharma (@capt_ivane) August 6, 2019

આગ લાગતા જ ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news