રાશિફળ 23 નવે.: આ રાશિના જાતકો બપોરના 1થી 3માં શાંતિ જાળવે, થશે ધનલાભ, 8 લકી નંબર વિશે જાણો

રાશિફળ 23 નવે.: આ રાશિના જાતકો બપોરના 1થી 3માં શાંતિ જાળવે, થશે ધનલાભ, 8 લકી નંબર વિશે જાણો

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

  • પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
  • જો તમારો લકી નંબર 8 હોય તો શનિદેવ તેના સ્વામી છે
  • નવા કાર્યનો પ્રારંભ કોઈપણ વારે શ્રીહનુમાનજીની ઉપાસનાથી કરવું
  • 17, 26 આ બે મિત્ર તારીખો છે
  • ચંદ્રનું પુષ્ય નક્ષત્ર હોય તો આપના માટે લાભકારી નીવડશે
  • શનિવારનો સુમેળ આપના માટે વિશેષ સરળતા વાળો રહેશે
  • પણ, વિવાહ કરવા માટે આ સુમેળ ન કરવો.

તારીખ

23 નવેમ્બર, 2018, શુક્રવાર

માસ

કાર્તિક સુદ પૂર્ણિમા

નક્ષત્ર

કૃત્તિકા

યોગ

પરિઘ

ચંદ્ર રાશી

વૃષભ (બ,વ,ઉ)

  1. કાર્તિકીપૂર્ણિમા
  2. આજે દેવદિવાળીનો પવિત્ર પર્વ છે
  3. કાર્તિકી સ્નાન સમાપ્તિ
  4. તુલસીવિવાહ પણ સમાપ્ત
  5. કુમારયોગ અને યમઘંટક યોગ સાંજે 4.42 થી બીજા દિવસના સૂર્યોદય સુધી

રાશિ ભવિષ્ય (23-11-2018)

મેષ (અલઈ)

  • સાંજે 4 વાગ્યા પછી સ્ફૂર્તિ જણાય
  • ધનની આવક થઈ શકે છે
  • પેટ થોડું ભારે લાગે
  • આજે ભોજનની ઇચ્છા થાય નહીં

વૃષભ (બવઉ)

  • નોકરી કરતા હોવ તો વેપાર કરવાની ઇચ્છા થાય
  • આપના સહકાર્યકર્તા સાથ છોડવાની વાત કરે
  • વાહન થોડી મુશ્કેલી આપે
  • સવારે 8 થી 10 નો સમય કાર્ય માટે સારો છે

મિથુન (કછઘ)

  • બપોરે 2 થી 4ના સમયમાં નેત્રપીડાથી સાચવવું
  • સરકારી તપાસ ચાલતી હોય તો સાવધાન
  • ધન વધુ વપરાય
  • સંઘર્ષ બાદ કાર્યની પૂર્તિ પણ જણાય છે

કર્ક (ડહ)

  • આજે શાંતિ રાખી દિવસ પસાર કરવો
  • પૈસા કમાવવાની ખૂબ ઇચ્છા થાય
  • કંઈક ભેગુ કરી લેવાના વિચાર આવે
  • વાહન ચલાવતી વખતે સાચવવું

સિંહ (મટ)

  • રાજકીય ક્ષેત્રે સફળતા મળે
  • ભાગીદારી પેઢીમાં મનદુખ થાય
  • બપોરે 2 થી 4નો સમયગાળો સાચવી લેવો
  • જીવનસાથીનો ઉશ્કેરાટ ઘણો વધી જાય

કન્યા (પઠણ)

  • આયુર્વેદના રસિકો માટે લાભ
  • ભાષામાં આનંદ વર્તાય
  • આંખોમાં પ્રેમ છલકાય
  • આરોગ્યના અનુસંધાનમાં પ્રવાસ થાય

તુલા (રત)

  • બપોરે 1 થી 3નો સમયગાળો શાંતિ જાળવવી
  • વેપારમાં મુશ્કેલી સર્જાય
  • મોટાભાઈ-બહેનનું આરોગ્ય જોખમાય
  • ધનલાભ થશે, નિયમિત આવકમાં વૃદ્ધિ થાય

વૃશ્ચિક (નય)

  • વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળ દિવસ છે
  • સંકલ્પ બળવાન બને
  • કૌટુંબિક સ્વાર્થ વિશેષ વકરે
  • નવું ઘર લેવાના સંકલ્પ પણ થાય

ધન (ભધફઢ)

  • નોકરીમાં પ્રમોશન મળી શકે છે
  • બદલી સાથે બઢતી પણ હોઈ શકે છે
  • વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા
  • રમતગમત સાથે સંકળાયેલા માટે સરળતા

મકર (ખજ)

  • પ્રેમસંબંધ મજબૂત બને
  • નોકરીમાં મૈત્રી ગાઢ બને
  • આપનો સ્વાર્થ આડે આવે
  • ભાષામાં વિવેક રાખવો પડશે

કુંભ (ગશષસ)

  • માતાનો સાથ ખૂબ મળે
  • ભાગ્ય પણ બળવાન છે
  • કાર્યમાં સફળતા મળે
  • ફક્ત જીવનસાથીનું આરોગ્ય જાળવવું પડશે

મીન (દચઝથ)

  • કાર્ય કરવાનો ઉત્સાહ રહે
  • સંતાન સાથે વિવાદ થાય
  • ભાષા થોડી કડક બને
  • મોડી સાંજે થોડી રાહત થાય
  • શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં બાલ્યાવસ્થામાં માટી ખાધી ત્યારે ગોપીઓ યશોદા મૈયાને કહેવા ગઈ કે, લાલાએ માટી ખાધી છે. ત્યારે યશોદામૈયાએ લાલાને પૂછ્યું બતાવ મોં ચાલ તે માટી ખાધી છે કે નહીં... ત્યારે લાલાએ મોઢું ખોલ્યું અને યશોદામૈયાને બ્રહ્માંડના દર્શન કરાવી દીધાં... એની લીલા કળવામાં આપણી બુદ્ધિ ઘણી ટૂંકી પડે... એનો હુકમ માથે ચઢાવવવો અને હકારાત્મક અભિગમ રાખી જીવનમાં આગળ વધવું...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news