રાશિફળ: આ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ, જીવનસાથી સાથે લાંબી મુસાફરીના યોગ

રાશિફળ: આ રાશિના લોકોને થશે અચાનક ધનલાભ, જીવનસાથી સાથે લાંબી મુસાફરીના યોગ

આજનું પંચાંગ

તારીખ

22 ઓગસ્ટ, 2018 બુધવાર

માસ

શ્રાવણ સુદ 11 (વૃ્દ્ધિતિથિ છે)

નક્ષત્ર

પૂ.ષાઢા

યોગ

પ્રીતિ

ચંદ્ર રાશી

ધન (ભ, ધ, ફ, ઢ)

  1. આજે ગાયને લીલો ઘાસચારો નિરવો. બુધપૂજન પણ કરી શકાય.
  2. રાજયોગ સવારે 7.42 થી રાત્રે 3.40 સુધી રહેશે.
  3. આજે શક્ય હોય તો પાંચ કુવારીકાને ભોજન કરાવી તેનું પૂજન કરવું.

મેષ (અલઈ)

  1. માતા દ્વારા લાભ થઈ શકે છે
  2. વાહનયોગ પણ રચાયો છે.
  3. આવકનું સ્થાન મજબૂત બન્યું છે

વૃષભ (બવઉ)

  1. બપોર પછી લેખકો માટે સાનુકૂળતા.
  2. વેપારી મિત્રોને વેપારમાં નવી તકો સાંપડે.
  3. કોઈ છૂપુ કરવાથી ચેતવું આજે તેવું કરવા પ્રેરાઈ શકો છો

મિથુન (કછઘ)

  1. આપને ઈન્ટ્યુશન થઈ શકે છે એટલે કે પૂર્વાભાસ થઈ શકે છે
  2. પત્ની અથવા સ્ત્રી પાત્ર દ્વારા આપને લાભ થાય.
  3. સ્ફૂર્તિનો આજે અભાવ વર્તાય.

કર્ક (ડહ)

  1. નોકરીના સ્થાનમાં આનંદ ઉત્સાહ વર્તાય
  2. યુવામિત્રો પ્રણયચેષ્ટામાં સમય વીતાવી શકે છે
  3. વિદ્યાર્થી તેમજ યુવામિત્રોએ આવેશથી દૂર રહેવું અને સંયમીત વ્યવહાર કરવો. ક્રોધાવેશ થઈ શકે છે.

સિંહ (મટ)

  1. હવે વિરોધનો સૂર ઓછો થઈ જશે
  2. આપ હવે સહકારપૂર્ણ વ્યવહાર કરશો
  3. વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા અથવા જક્કી વલણ ઊભુ થઈ શકે છે માટે સાવધાન રહેવું.

કન્યા (પઠણ)

  1. આપણે કેટલાક સદગુણ જિંદગીભર યાદ રાખવા પડે છે
  2. આપ પણ આમાંથી બાકાત નથી. આપે પણ પાલન કરવું પડશે.
  3. દરેક વાતમાં ન-કારનો ત્યાગ કરજો. હકારાત્મક વલણ અપનાવશો તો આજે શાંતિ પ્રાપ્ત તશે.

તુલા (રત)

  1. નેત્રપીડા અને દંતપીડાથી જાળવવું
  2. કર્મચારી સાથે મનદુઃખ થઈ શકે છે
  3. ગળપણ ખાવા ઉપર સંયમ અવશ્ય મૂકજો.

વૃશ્ચિક (નય)

  1. સંધ્યા સમય આપના માટે પ્રસન્નતા લઈ આવશે
  2. પોતાના અધિકારી સાથે ઉગ્રવિવાદ થઈ શકે છે
  3. ધાર્મિક પૂજાપાઠમાં ખર્ચ થઈ શકે છે
  4. જીવનસાથી તરફથી સહકાર મળે.

ધન (ભધફઢ)

  1. એક ગુરૂ કા આશરા એક ગુરૂ ટેક વાત ધ્યાનમાં રાખજો
  2. કાર્યમાં વધુ પડતી ચીકાશ ન કરવી. ચોક્સાઈ અવશ્ય કરજો. પણ ચીકાશ કરવાથી કાર્ય ગૂંચવાઈ જશે

મકર (ખજ)

  1. હરવા-ફરવાનું બને. તેની ઇચ્છા પણ પ્રબળ થાય.
  2. જીવનસાથી સાથે લાંબી મુસાફરીના યોગ રચાયા છે
  3. પેઢૂના ભાગે દુખાવો થઈ શકે છે, સાવધાન.

કુંભ (ગશષસ)

  1. આપનું સ્વાર્થીપણું મુશ્કેલી નોતરે.
  2. અચાનક ધનલાભ થઈ શકે છે.
  3. પરિવારમાં આનંદનું વાતાવરણ જવાશે.
  4. આપની વાણી આપના માટે લાભ નોંતરશે

મીન (દચઝથ)

  1. સંબંધોમાં થોડી ઓટ આવી શકે છે
  2. આપની જ્ઞાતીમાં આપને પદ પ્રાપ્ત થઈ શકે છે
  3. યુવામિત્રોને મુસાફરી દરમિયાન પ્રિયપાત્ર મળી શકે છે.

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news