Coronavirus: શું ફરી ખતરો બનશે કોરોના? પાંચ દેશોમાં તબાહીથી ભારતમાં એલર્ટ, બુધવારે મંત્રાલય કરશે બેઠક

COVID 19: જાપાન, અમેરિકા અને ચીનમાં કોરોનાના વધતા કેસ બાદ સ્વાસ્થ્ય મંત્રાલયએ રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. 

Coronavirus: શું ફરી ખતરો બનશે કોરોના? પાંચ દેશોમાં તબાહીથી ભારતમાં એલર્ટ, બુધવારે મંત્રાલય કરશે બેઠક

નવી દિલ્હીઃ Coronavirus India Alert: કોરોના દર્દીઓનો વધી રહેલો ગ્રાફ ફરી એકવાર આરોગ્ય વિભાગ માટે મોટી ચિંતાનું કારણ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા દેશોમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સદભાગ્યે, ભારતમાં કોરોનાની પ્રગતિ ધીમી છે. પરંતુ ખતરાને જોતા સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કોરોનાના નિવારણ માટે તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આવતીકાલે બુધવારે સવારે 11 વાગે વિદેશમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે સમીક્ષા બેઠક કરશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો 
જાપાન, અમેરિકા અને ચીનમાં કોરોનાના કેસો વધ્યા બાદ આરોગ્ય મંત્રાલયે રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે. જીનોમ સિક્વન્સિંગ વધારવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવા પ્રકારો અને તેમના ફેલાવાને સમયસર શોધી શકાય છે.

સર્વેલાન્સમાં વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના આરોગ્ય સચિવો અને મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવા જણાવ્યું છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન, જાપાન અને કોરિયામાં કોવિડના વધતા કેસ બાદ દેખરેખ વધારવામાં આવી છે.

જીનોમ સિક્વન્સિંગ પર ખાસ ભાર
રાજ્યોને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના નવા વેરિએન્ટની ઓળખ કરવા માટે દરેક રાજ્ય પોઝિટિવ કેસનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે અને જીનોમ સિક્વન્સિંગના દરેક કેસને INSACOG (Indian SARS-CoV-2 Genomics Consortium) ના માધ્યમથી રિપોર્ટ કરવામાં આવે. જીનોમ સિક્વન્સિંગના માધ્યમથી માહિતી મેળવી શકાય છે કે વાયરસનો ક્યો વેરિએન્ટ વધુ ફેલાઈ રહ્યો છે અને ક્યા ભાગમાં ક્યા વેરિએન્ટનો ફેલાવો છે. જો વાયરસ મ્યૂટેટ કરે છે અને કોઈ નવો વેરિએન્ટ વાતાવરણમાં આવે છે તો તેની પણ માહિતી મેળવી શકાય છે.

કોરોનાના કુલ 3490 એક્ટિવ કેસ
જેથી ભારતમાં કોરોનાના કેસ વધે, તેની પહેલા જીનોમ સિક્વન્સિંગ વધારવા અને તેનું રિપોર્ટિંગ કેન્દ્રીય સ્તર પર ફરીથી ઝડપી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં આ સમયે કોરોનાના કુલ 3490 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીના સૌથી ઓછા કેસ ભારતમાં આ સપ્તાહે નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news