ચિદમ્બરમના પુત્રને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભડકો, પૂર્વ મંત્રીએ કહ્યું આ પરિવારને લોકો ધિક્કારે છે

શુક્રવારે તમિલનાડુથી આઠ કોંગ્રેસ ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી

ચિદમ્બરમના પુત્રને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભડકો, પૂર્વ મંત્રીએ કહ્યું આ પરિવારને લોકો ધિક્કારે છે

ચેન્નાઇ : તમિલનાડુની શિવગંગા લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા મુદ્દે દાવેદારી કરી રહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઇ.એમ સુદર્શન નચિયપ્પને આ સીટ કાર્તિ ચિદમ્બરને ફાળવી દેવાતા હાઇકમાન્ડ વિરુદ્ધ બળવો પોકાર્યો છે. તેમણે કહ્યું કે, લોકો આ પરિવાર (ચિદમ્બરમ) ને નફરત કરે છે. શુક્રવારે તમિલનાડુથી આઠ કોંગ્રેસી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જો કે શિવગંગા સીટ માટે કાર્તિનાં નામની જાહેરાત રવિવારે સાંજે કરવામાં આવી હતી. કાર્તિ ઉપરાંત માત્ર નચિયપ્પન જ શિવગંગા સીટ માટે દાવેદાર હતા. 

વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપના એચ.રાજા અને તમિલનાડુ કોંગ્રેસનાં પી. ચિદમ્બરમ (જે ત્રીજા નંબરે રહ્યા હતા)ને હરાવીને જીત પ્રાપ્ત કરનારા નચિયપ્પને કહ્યું કે, હાઇકમાન્ડનાં નિર્ણયે કોંગ્રેસ સામે મુશ્કેલ સ્થિતી પેદા કરી દીધી છે. કારણ કે કાર્તિ કોર્ટની કાર્યવાહી સામે જઝુમી રહ્યો છે. પી.ચિદમ્બરમ શિવગંગા લોકસભા સીટ પર સાત વખત જીત પ્રાપ્ત કરી ચુક્યા છે. 

આ સીટ પર તેઓ 1984માં પહેલીવાર જીત્યા હતા. તે વર્ષ 2004 અને 2010માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવેલા નચિયપ્પને પત્રકારોને કહ્યું કે, જ્યાં સુધી મને લાગે છે લોકો આ પરિવારને નફરત કરે છે, કારણ કે તેમણે શિવગંગા ક્ષેત્ર માટે કંઇ જ નથી કર્યું. વ્યવસાયે વકીલ નચિયપ્પને કહ્યું કે, કાર્તિને ઉમેદવાર બનાવવાથી ભવિષ્યમાં પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. 

કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી રહી ચુકેલા નચિયપ્પને આરોપ લગાવ્યો કે ચિદમ્બરમે ન માત્ર તેમને તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવતા અટકાવ્યા પરંતુ આશરે 9 વર્ષ સુધી (વર્ષ 2004માં યુપીમાં કેન્દ્રમાં સરકાર બન્યા બાદ) મંત્રી બનતા પણ અટકાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પણ તેમને કોઇ પદની રજુઆત કરવામાં આવતી તો ચિદમ્બર તેનો વિરોધ કરતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news