સવર્ણોને 10% અનામત આપનારા PM મોદીના નિર્ણયનો સાથ આપશે બસપા

કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, સારૂ થાત કે જો ભાજપ પોતાનો કાર્યકાળ ખવાનાં ચોક્કસ સમય પહેલા નહી પરંતુ અગાઉ આ નિર્ણય લીધો હોત

સવર્ણોને 10% અનામત આપનારા PM મોદીના નિર્ણયનો સાથ આપશે બસપા

લખનઉ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણો માટે 10 ટકા અનામતનું પ્રવધાન કરવામાં આવ્યું તેને આવકાર્યું છે. માયાવતીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી ગરીબોને 10 ટકા અનામત આપવાનાં પ્રાવધાનને વખાણ્યું છે. માયાવતીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી ગરીબોને 10 ટકા અનામત આપવાનાં બિલનું સમર્થન કરશે. જો કે તેની સાથે સાથે તેમણે 10 ટકા અનામતને એક રાજનીતિક સ્ટંટ ગણાવ્યો હતો. 

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ આ મુદ્દે સામે આવી રહી છે. કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, સારૂ થશે જો ભાજપ પોતાનો કાર્યકાળ ખતમ થતા પહેલા નહી પરંતુ પહેલા જ આવો નિર્ણય લઇને આવી હોત. કેન્દ્રીયય કેબિનેટે આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાને સોમવારે મંજુરી આપી દીધી હતી. લોકસભા ચૂંટણી પહેલા તેને સરકારનો માસ્ટર સ્ટ્રોક પણ માનવામાં આવી રહ્યો છે. આ વિધેયકને આજે મંગળવારે જ સંસદમાં રજુ કરવામાં આવશે. 

BSP will support 10% reservation for poor people

અત્રે ઉલ્લેખનીય છે કે જેમની 8 લાખ વાર્ષિક સવાલોથી ઓછી આવક 5 હેક્ટરથી ઓછી ખેતીની જમીન પણ તેમને અનામત આપવામાં આવશે. 1000 વર્ગ ફુટથી ઓછાનું મકાન હોય. 200 ગજ જમીન વાળાને અનામત નહી મળે અને શહેરમાં 100 ગજ જમીન વાળાઓને અનામત નહી આપવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news