George Soros: અમેરિકાના બિઝનેસમેને એવું તો PM મોદી માટે શું કહ્યું સ્મૃતિ ઈરાની લાલચોળ થઈ ગયા

Smriti Irani on US Billionaire George Soros: અદાણી-હિંડનબર્ગ કેસ હાલમાં ચર્ચામાં છે. અદાણી મુદ્દે વિપક્ષ મોદી સરકાર હાવી છે. આ સમાચારો વચ્ચે સ્મૃતિ ઈરાનીએ આજે ​​પત્રકાર પરિષદ યોજીને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતના લોકતંત્રમાં દખલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

George Soros: અમેરિકાના બિઝનેસમેને એવું તો PM મોદી માટે શું કહ્યું સ્મૃતિ ઈરાની લાલચોળ થઈ ગયા

Smriti Irani On George Soros: અદાણી-હિંડનબર્ગ કેસ હાલમાં ચર્ચામાં છે. અદાણી મુદ્દે વિપક્ષ મોદી સરકાર હાવી છે. આ સમાચારો વચ્ચે સ્મૃતિ ઈરાનીએ આજે ​​પત્રકાર પરિષદ યોજીને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતના લોકતંત્રમાં દખલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે એક વિદેશી તાકાત જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ છે. જેમને જાહેરાત કરી છે કે ભારતના લોકતાંત્રિક માળખા પર હુમલો કરશે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પીએમ મોદીને તેમના હુમલાનો મુખ્ય મુદ્દો બનાવશે.

જ્યોર્જ સોરોસના નિશાના પર PM મોદી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે એક નાગરિક તરીકે હું દેશની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે એક વિદેશી તાકાત છે જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ નામની વ્યક્તિ છે. તેઓએ જાહેરાત કરી છે કે તેઓ ભારતના લોકશાહી માળખાને નુકસાન પહોંચાડશે. ઈરાનીએ વધુમાં કહ્યું કે તેમણે જાહેરાત કરી છે કે તે વડાપ્રધાન મોદીને તેના હુમલાનો મુખ્ય મુદ્દો બનાવશે. તેઓએ જાહેરાત કરી છે કે તેઓ  વિદેશી સત્તા હેઠળ ભારતમાં એવી વ્યવસ્થા ગોઠવશે જે તેમના હિતોનું રક્ષણ કરશે અને ભારતનું નહીં.

ઈરાનીએ વધુમાં કહ્યું કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું છે કે  તેઓ ભારતમાં જ મોદીને ઝુકાવશે. ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડશે. જેનો દરેક ભારતીયે યોગ્ય જવાબ આપવો જોઈએ.

PM મોદી ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં'
જ્યોર્જ સોરોસને પ્રશ્ન કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે આપણે જ્યોર્જ સોરોસને સર્વસંમત જવાબ આપવો જોઈએ કે લોકતાંત્રિક સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં. અમે ભૂતકાળમાં પણ વિદેશી શક્તિઓને હરાવી છે અને ભવિષ્યમાં પણ તેમને હરાવીશું.

કોંગ્રેસે જ્યોર્જ સોરોસ પર પણ નિશાન સાધ્યું હતું
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ જ્યોર્જ સોરોસના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે પીએમને સંડોવતા અદાણી કૌભાંડ ભારતમાં લોકશાહી પુનરુત્થાનની શરૂઆત કરે છે કે નહીં તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. આને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી. અમારો નેહરુવાદી વારસો એ સુનિશ્ચિત કરે છે કે તેમના જેવા લોકો અમારા ચૂંટણી પરિણામો નક્કી ન કરી શકે.

જ્યોર્જ સોરોસે શું કહ્યું જેનાથી ખળભળાટ મચી ગયો
જ્યોર્જ સોરોસ અમેરિકાના મોટા બિઝનેસમેન છે. દેશમાં ગરમાતા અદાણીના મુદ્દે તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. સોરોસે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દે શાંત છે. પરંતુ તેમણે સંસદમાં તેમજ વિદેશી રોકાણકારોના પ્રશ્નોના જવાબ આપવા પડશે. તેમણે મ્યુનિક સુરક્ષા પરિષદમાં આ વાતો કહી હતી. સોરોસે કહ્યું હતું કે અદાણી મુદ્દો ભારતની ફેડરલ સરકાર પર મોદીની પકડને ખૂબ જ નબળી પાડી રહી છે. જ્યોર્જ સોરોસે આશા વ્યક્ત કરી હતી કે ભારતની લોકશાહીમાં પણ પરિવર્તન થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news