કોરોના અંગે ભારતના આ બાળ જ્યોતિષની મોટી ભવિષ્યવાણી સાચી પડી રહી છે! 

જ્યોતિષ ચમત્કાર નથી પરંતુ એક પ્રકારની વિદ્યા છે અને અભિજ્ઞ આનંદ (Abhigya Anand) કોઈ જાદૂગર નથી પરંતુ જ્યોતિષી છે. ઉમરને પ્રતિભા સાથે કોઈ લેવાદેવા નથી. આજે 14 વર્ષની ઉંમરના આ ભારતીય બાળ જ્યોતિષીને આખી દુનિયા જાણે છે અને તેના લીધે તે વિશ્વખ્યાતિ મેળવી રહ્યો છે. આ બાળ જ્યોતિષીએ આજથી દોઢ વર્ષ પહેલા ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે વર્ષ 2020માં થશે વાયરસ અને મનુષ્યો વચ્ચે યુદ્ધ!
કોરોના અંગે ભારતના આ બાળ જ્યોતિષની મોટી ભવિષ્યવાણી સાચી પડી રહી છે! 

નવી દિલ્હી: જ્યોતિષ ચમત્કાર નથી પરંતુ એક પ્રકારની વિદ્યા છે અને અભિજ્ઞ આનંદ (Abhigya Anand) કોઈ જાદૂગર નથી પરંતુ જ્યોતિષી છે. ઉમરને પ્રતિભા સાથે કોઈ લેવાદેવા નથી. આજે 14 વર્ષની ઉંમરના આ ભારતીય બાળ જ્યોતિષીને આખી દુનિયા જાણે છે અને તેના લીધે તે વિશ્વખ્યાતિ મેળવી રહ્યો છે. આ બાળ જ્યોતિષીએ આજથી દોઢ વર્ષ પહેલા ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે વર્ષ 2020માં થશે વાયરસ અને મનુષ્યો વચ્ચે યુદ્ધ!

સાચુ પડી રહ્યું છે અભિજ્ઞનું કથન
અભિજ્ઞ આનંદે  કહ્યું હતું કે મે માસની 3 તારીખથી આ મહામારીનો ખાતમો શરૂ થઈ જશે. તેની આ વાત પણ સાચી નીકળી. તેની અસર જોવા મળી રહી છે. અને એક દિવસમાં જ કોરોનાથી રાહતની દિશામાં શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. હવે એ વાતની રાહ જોવાઈ રહી છે કે 5 સપ્ટેમ્બર ક્યારે આવશે જેથી કરીને કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ જાય. જેમ કે અભિજ્ઞએ કહ્યું હતું. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ અડસઠ હજારને પાર જતી રહી છે. પરંતુ હવે આ મામલે રાહતના સંકેત જોવા મળી રહ્યાં છે. દુનિયાના તમામ દેશોમાં રિકવરી કેસ વધવા લાગ્યા છે અને આજની તારીખમાં કોરોના (Corona virus) ના મોતના કેસ ઘટતા જોવા મળી રહ્યાં છે. 

મળી રહ્યાં છે રાહતના સમાચાર?
જ્યાં દેશમાં કોરોનાના મૃતકોનો આંકડો 4700થી ઉપર જઈ રહ્યો છે ત્યાં રિકવર થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ એક્યાસી હજારથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. જે સારા સંકેત મળી રહ્યાં છે. અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જાહેરાત પણ કરી છે કે ત્યાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં ઠીક થઈ રહ્યાં છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે. આંકડા પર નજર ફેરવીએ તો દેશમાં સાજા થનારાઓની સંખ્યામાં ગુરુવારથી છેલ્લા બે દિવસમાં 11000થી વધારે કેસનો વધારો થયો છે. એટલું જ નહીં હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા કોવિડ 19ના દર્દીઓમાં પણ પાંચ હજારથી વધુનો ઘટાડો થયો છે અને હવે તે ઘટીને લગભગ 82000 રહી ગયા છે. 

જાણો જ્યોતિષ અભિજ્ઞ આનંદ વિશે
ચાર મહિના અગાઉ કોરોના પર કોઈ પણ ભવિષ્યવાણી કોઈ સાચુ માનતું જ નહતું કારણ કે કોરોના આખરે શું છે તે દુનિયામાં એક ટકા લોકોને પણ ખબર નહતી. અને ચાર મહિના પહેલા જો કોઈએ કોરોનાની આહટને ઓળખી લીધી હોય તો તે વિશેષ વ્યક્તિને અતિ વિશેષ કહેવા જ પડે. ભારતમાં આ અતિ વિશેષ વ્યક્તિ એક ચૌદ વર્ષનો બાળક છે જે હવે દુનિયાના જાણીતા જ્યોતિષ વિષારદ છે. હવે અભિજ્ઞ આનંદને લોકો 'કોરોના જ્યોતિષ'ના નામથી પણ ઓળખવા લાગ્યા છે. 

બહુમુખી પ્રતિભાના ધની છે અભિજ્ઞ
મૂળ કર્ણાટકના રહીશ અભિજ્ઞાન આનંદ વિશ્વના સૌથી ઓછી ઉમરના જ્યોતિષી, વાસ્તુવિદ અને સોનાના મૂલ્યના વિશ્લેષક છે. તેઓ પોતાના વિશેષ વિષય અર્થાત આયુર્વેદિક માઈક્રોબાયોલોજીના સૌથી યુવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે.  એ જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં પોતાની સ્નાતક અર્થાત ગ્રેજ્યુએશનની ડિગ્રીને પણ તેઓ સૌથી ઓછી ઉમરે મેળવનારા વિદ્યાર્થી છે. 

જુઓ LIVE TV

conscience છે વીડિયો ચેનલ
અભિજ્ઞ આનંદ અને તેમના બહેનની 700થી વધુ વીડિયો સાથેની એક ચેનલ છે જેમાં જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્ર, અને આયુર્વેદ પર 300થી વધુ વીડિયો છે. તેમણે વાસ્તુ અને જ્યોતિષ પર દુનિયાભરમાં સેકડો ગ્રાહકોને સલાહ સૂચન આપ્યા છે. એટલું જ મહત્વપૂર્ણ છે કે દુનિયાભરમાં અભિજ્ઞના પ્રશંસકો છે જે તેમના વીડિયો નિયમિતપણે જુએ છે. આ ભાઈ બહેનના યુટ્યૂબ ચેનલ પર પચાસ લાખ સબ્સક્રાઈબર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news