દેવેન્દ્ર ફડણવીસ 40000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા માટે બન્યા હતા 80 કલાકના CM?

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અનંતકુમાર હેગડે (Anant Kumar Hegde)નું આ નિવેદન ચર્ચાનો મુદ્દો બન્યું છે

દેવેન્દ્ર ફડણવીસ 40000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા માટે બન્યા હતા 80 કલાકના CM?

મુંબઈ : ભારતીય જનતા પાર્ટી ( BJP)ના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડે (Anant Kumar Hegde)ના એક નિવેદનથી મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં ધમાલ મચી ગઈ છે. અનંતકુમારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના માત્ર 80 કલાક માટે સીએમ બનવાના ઘટનાક્રમ વિશે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા માટે ફડણવીસે સીએમ પદની શપથ લીધી હતી. 

ઉત્તર કન્નડમાં વાત કરતી લખતે અનંત કુમારે કહ્યું છે કે ''બધાને ખબર છે કે અમારા માણસે 80 કલાક સુધી મુખ્યમંત્રી રહ્યા પછી રાજીનામું આપ્યું હતું. તેમણે આ ડ્રામા કેમ કર્યો? શું તેમને ખબર નહોતી કે તેમની પાસે બહુમત નથી? હકીકતમાં મુખ્યમંત્રીના નિયંત્રણમાં કેન્દ્રના 40 હજાર કરોડ રૂપિયા હતા. તેઓ જાણતા હતા કે જો કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર સત્તામાં આવશે તો વિકાસને બદલે એ રકમનો દુરુપયોગ કરશે અને એટલે આ ડ્રામા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને 15 કલાકમાં કેન્દ્રને 40 હજાર કરોડ રૂપિયા પરત કરી દીધા.''

— ANI (@ANI) 2 December 2019

દેવેન્દ્ર ફડણવીસે તો અનંત કુમારના આ નિવેદનને નકારી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું છે કે આ વાતને હું સ્પષ્ટપણે નકારું છું. બુલેટ ટ્રેન કેન્દ્રની સહાયતાથી તૈયાર થઈ રહી છે અને એમાં મહારાષ્ટ્રની ભૂમિકા માત્ર જમીન અધિગ્રહણ સુધી જ સિમિત છે. મેં મુખ્યમંત્રી તરીકે કે પછી કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે આવો કોઈ જ નિર્ણય નથી લીધો. સરકારનો જવાબદાર વિભાગ આ વાતની તપાસ કરી શકે છે. જોકે, આ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news