વળતર માગ્યું! 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, હવે સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો

તમને જાણીને નવાઈ લાગશે પણ રતલામ જિલ્લા કોર્ટમાં એક આદિવાસી યુવકે શિવરાજ સરકાર પાસેથી હજારો કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ યુવકે રૂપિયા માંગવાનું કારણ એવું જણાવ્યું છે કે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આ યુવકે જેલમાં બંધ હોવા દરમિયાન સામાજિક, પારિવારિક માનહાનિ અને શારીરિક ત્રાસ બદલ વળતરની રકમની માંગણી કરી છે. 
વળતર માગ્યું! 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, હવે સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો

Compensation Claim: તમને જાણીને નવાઈ લાગશે પણ રતલામ જિલ્લા કોર્ટમાં એક આદિવાસી યુવકે શિવરાજ સરકાર પાસેથી હજારો કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ યુવકે રૂપિયા માંગવાનું કારણ એવું જણાવ્યું છે કે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આ યુવકે જેલમાં બંધ હોવા દરમિયાન સામાજિક, પારિવારિક માનહાનિ અને શારીરિક ત્રાસ બદલ વળતરની રકમની માંગણી કરી છે. 

આદિવાસી વ્યક્તિએ પોતાના વકીલ દ્વારા મધ્યપ્રદેશ સરકાર અને પોલીસ પર આ દાવો કર્યો છે. ગેંગરેપના ખોટા કેસમાં આ વ્યક્તિને 2 વર્ષની જેલની સજા ભોગવવી પડી હતી. કોર્ટે હવે તેને સન્માન સાથે નિર્દોષ જાહેર કર્યો છે. તેનું કહેવું છે કે નિર્દોષ હોવા છતાં તેણે સજા ભોગવી. તેના માટે વળતરનો દાવો કર્યો. આ કેસની સુનાવણી 10 જાન્યુઆરીએ થશે.

રતલામના ઘોરખેડાના રહેવાસી કાંતિલાલ સિંહ ઉર્ફે કાંતુને 2 વર્ષ પહેલા ગેંગરેપ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રતલામે હવે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. કાન્તુના કહેવા પ્રમાણે નિર્દોષ હોવા છતાં તેને 2 વર્ષ સુધી જેલની યાતનાઓ સહન કરવી પડી હતી. પરિવારમાં માત્ર તે એક જ કમાનાર હોવાથી તેના પરિવારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત આ આરોપના કારણે તેની કારકિર્દી પણ બરબાર થઈ ગઈ છે. પરિવાર સહિત તેને જે શારીરિક અને માનસિક સ્થિતિનો સામનો કરવો પડ્યો, તે પ્રમાણે દિવસના હિસાબ મુજબ 1-1 કરોડનું વળતર જોઈએ. કાંતુ વતી એડવોકેટ વિજય સિંહ યાદવે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓ સામે 10 હજાર કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો છે.

વકીલે કહ્યું- માનવ જીવન કિંમતી છે, તેથી હજારો કરોડનો દાવો કર્યો
એડવોકેટ વિજય સિંહ યાદવ કહે છે કે માનવ જીવનની કોઈ કિંમત નક્કી કરી શકાતી નથી. પોલીસ અને રાજ્ય સરકારના કારણે કાંતુનું જીવન બરબાદ થઈ ગયું. નિર્દોષ હોવા છતાં તેમને 2 વર્ષ સુધી જેલની યાતનાઓ વેઠવી પડી હતી. કાંતુના પરિવારમાં વૃદ્ધ માતા મીરા, પત્ની લીલા અને 3 બાળકો છે. તે દરેકની સંભાળ રાખવા માટે જવાબદાર છે. કાન્તુની લાંબી અટકાયતને કારણે તેનો પરિવાર ભૂખે મરતો હતો. બાળકો ભણવાનું ચૂકી ગયા. તેને સમાજમાં પાછા આવવા અને રોજગાર શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર દાવો કરવામાં આવ્યો છે. તેમજ સમાજને એક સંદેશ આપવા માંગે છે કે મહિલાઓએ તેમના અધિકારોનો દુરુપયોગ ન કરવો જોઈએ. આ ઘટનામાં યુવક દ્વારા વળતર માટે એક ચોંકાવનારું કારણ પણ આપ્યું હતું, જેમાં તેનું કહેવું છે કે, તે જેલવાસના બે વર્ષ દરમિયાન શારીરિક સુખ પણ માણી શક્યો ન હતો. જેના કારણે સરકારે 10 હજાર કરોડનું વળતર ચુકવવું પડશે.

આ કિસ્સો છે...
મામલો 18 જાન્યુઆરી 2018નો છે. પીડિતાએ બજના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે તે બપોરે 12 વાગ્યે ઘરે હતી. તે સમયે કાંતુ અમાલિયાર ઘરે આવ્યો અને કહ્યું કે તે મને ભાઈના ઘરે મૂકવા આવશે. હું તેની સાથે બાઇક પર ગઈ. કાંતુને તેના ભાઈના ઘરે લઈ જવાને બદલે તેને ઘોરખેડાના જંગલમાં લઈ ગયો. ત્યાં તેની સાથે બળાત્કાર કર્યો. આ પછી તેણે ભૈરુ સિંહને બોલાવ્યો અને મને તેના હવાલે કરી. ભૈરુ ગમનાકા માણસાના રહેવાસી છે. ભૈરુ તેને ઈન્દોર લઈ ગયો. 6 મહિના સુધી સાથે રાખ્યા. દરમિયાન તેણે સતત બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી ભૈરુએ મને સરપંચને સોંપી એ મને અહીં ચોડી ગયો હતો. બાદમાં સમગ્ર ઘટના તેને પતિને જણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news