સબરીમાલા વિવાદઃ હિંસામાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત, હિંદુવાદી સંગઠનોનું આજે રાજ્યવ્યાપી બંધ

મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાદ વિભિન્ન હિંદુવાદી સંગઠનોના એક મુખ્ય સંગઠને ગુરૂવારે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. 
 

સબરીમાલા વિવાદઃ હિંસામાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત, હિંદુવાદી સંગઠનોનું આજે રાજ્યવ્યાપી બંધ

નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરમાં બુધવારે બે મહિલાઓના પ્રવેશ બાદ થયેલા પ્રદર્શનમાં ઈજાગ્રસ્ત એક મહિલાનું ગુરૂવારે મોત થઈ ગયું છે. આ મહિલા સબરીમાલા કર્મ સમિતિની કાર્યકર્તા હતી. મહત્વનું છે કે, બુધવારે બે મહિલાઓની સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવા પર ઘણા સ્થળે વિરોધ પ્રદર્શન થયું હતું. તેમના પ્રવેશ બાદ વિભિન્ન હિન્દુવાદી સંગઠનોના એક મુખ્ય સંગઠને ગુરૂવારે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું હતું. 

મહિલાઓના મંદિરમાં પ્રવેશના સમાચાર ફેલાયા બાદ, દક્ષિણપંથી સમૂહોના કાર્યકર્તાઓનો વિરોધ કરતા રાજમાર્ગ પર અસર પડી હતી. તેમણે દુકાનો અને બજારો બંધ કરાવી હતી. સબરીમાલા કર્મ સમિતિની તરફતી સવારથી સાંજ સુધી બંધની જાહેરાત કરતા તેના નેતા કેપી શશિકલાએ કહ્યું કે, સરદારે ભક્તો સાથે છેતરપિંડી કરી છે. 

પ્રતિબંધિત ઉંમર વર્ગ (10 થી 50 વર્ષ)ની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બરના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી સમિતિના લોકોએ પ્રદર્શનમાં તેમનો સહયોગ કરવાની અપીલ કરી હતી. શશિકલાએ કહ્યું કે, પિનરાઈ વિજયને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે ત્યાં સુધી પ્રદર્શન ચાલું રહેશે. શશિકલાએ કહ્યું કે, સરકારે કાયરની જેમ કામ કર્યું અને મહિલાઓને વહેલી સવારે મંદિર લઈ ગઈ હતી. 

મહત્વનું છે કે, કાળા કલરના કપડા પહેરેલી બે મહિલાઓ કનકદૂર્ગા (44 વર્ષ) અને બિંદૂ (42 વર્ષ)એ હિન્દુવાદી સંગઠનોની તમામ ધમકીઓને પરવા કર્યા વિના બુધવારે વહેલી સવારે અયપ્પાના સબરીમાલા મદિંરમાં પ્રવેશ કરીને વર્ષો જૂની પરંપરા તોડી દીધી હતી. 

આ ઘટના બાદ ભાજપ અને હિન્દુવાદી સંગઠનોએ કેરલમાં હિંસક પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સચિવાલય આશરે પાંચ કલાક સંઘર્ષ સ્થળમાં ફેરવાઈ ગયું અને સત્તામાં રહેલી માકપા તથા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી અને એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા માટે પાણી અને આંસુ ગેસના સેલ છોડ્યા હતા. 

મુલ્લપુરમમાં મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનનું પૂતળું ફુંકવામાં આવ્યું અને જ્યારે ભાજપની મહિલા મોરચાના કાર્યકર્તાઓએ સચિવાલય પરિસરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયની પાસે બળજબરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

પોલીસે કહ્યું કે, ઘણા સ્થાનો પર સત્તામાં રહેલી માકતાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી તેનાથી તણાવ ઉભો થયો હતો. પથનમતિત્તા જિલ્લાના કોન્ની અને કોઝેનચેરીમાં સરકારે કેએસઆરટીસી બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિર આ જિલ્લામાં આવેલું છે. રાજ્યભરમાં મંદિર સાથે જોડાયેલા દેવસ્વોમ બોર્ડના કાર્યાલયોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news