World Water Day: અમદાવાદીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં નહીં સર્જાય પાણીની તંગી

22 માર્ચ આજે 'વિશ્વ જળ દિન' તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે AMC વોટર સપ્લાય સમિતિના ચેરેમન જતિન પટેલે દાવો કર્યો છે કે, ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી સર્જાશે નહીં. પાણીની અછત ઉભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી શહેરના દરેક ઝોનમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

World Water Day: અમદાવાદીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં નહીં સર્જાય પાણીની તંગી

ગૌરવ પટેલ, અમદાવાદ: 22 માર્ચ આજે 'વિશ્વ જળ દિન' તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે AMC વોટર સપ્લાય સમિતિના ચેરેમન જતિન પટેલે દાવો કર્યો છે કે, ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી સર્જાશે નહીં. પાણીની અછત ઉભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી શહેરના દરેક ઝોનમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

પાણી વગર જીવન શક્ય નથી અને દુનિયાને પાણીનું મહત્વ સમજાવવાના ઉદેશ્યથી આજે એટલે કે 22 માર્ચ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજના દિવસે અમદાવાદ મહાનગર પાલિકાના વોટર સપ્લાય સમિતિના ચેરમેન જતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી સર્જાશે નહીં.

પાણીની અછત ઉભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના અંક અંદાજ મુજબ 700 થી વધુ બોર કાર્યકર્ત છે. બોરના પાણીથી 700 એમએલડી પાણી મળી રહશે. પ્રતિ વ્યક્તિ 140 થી 160 લિટર પાણીની જરૂરિયાત હોય છે. ત્યારે શહેરમાં 1750 એમએલડી પાણીની ટ્રીટ કરવાની ક્ષમતા છે. શહેરમાં 70 લાખની વસ્તીને 1420 એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે.

આગામી વર્ષમાં 2150 એમએલડી પાણીનો જથ્થો વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી શહેરના દરેક ઝોનમાં પહોંચાડાઈ રહ્યું છે. શહેરમાં હાલ કોતરપુર વોટર, રાસ્કા અને જાસપુર વોટરમાંથી પાણી મળી રહે છે.

અન્ય સમાચાર અહીં વાંચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news