Vadodara: યુવકે એક્ટિવા સાથે લગાવી મોતની છલાંગ, 5 કલાક બાદ મળ્યો મૃતદેહ

પ્રાપ્ત માહિતી અનુસાર મોતની છલાંગ લગાવનાર યુવકનું નામ પૂજન ભટ્ટ છે અને તે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા દિપકનગરમાં રહેતો હતો.

Vadodara: યુવકે એક્ટિવા સાથે લગાવી મોતની છલાંગ, 5 કલાક બાદ મળ્યો મૃતદેહ

હાર્દિક દિક્ષીત , વડોદરા: વડોદરા (Vadodara) માં આવેલા કાલાઘોડા બ્રિજ (Kalaghoda Bridge) પરથી યુવકે વિશ્વામિત્રી નદી (Vishwamitri River) માં છલાંગ લગાવી હતી. આ અંગે ફાયરબ્રિગેડ (Fire Brigade) ને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને 5 કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તહેવારના દિવસે આ બનાવ સર્જાર્તા પરિવારમાં માતમ છવાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર મોતની છલાંગ લગાવનાર યુવકનું નામ પૂજન ભટ્ટ છે અને તે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા દિપકનગરમાં રહેતો હતો. તે કાનન ઇન્ટરનેશનલમાં એચ.આર ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો. મોડી રાત્રે 3 વાગે આ યુવક ઘરેથી નિકળ્યો હતો હતો  અને તેને કાલાઘોડા બ્રિજ પરથી વિશ્વાનદીમાં મોતની છલાંગ લગાવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે અત્યારે કોરોના કારણે શહેરમાં રાત્રિ કર્ફ્યુ છે ત્યારે આ યુવક મોડી રાત્રે અહીં કેમ રીતે તે પણ એક મોટો સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news