વડોદરા: 1200 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલાયા

ઉત્તર પ્રદેશના 1200 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવ્યાં છે. વડોદરા રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન દ્વારા આ પરપ્રાંતીઓને પરત મોકલાયા. મોડી રાતે અલગ અલગ સ્થળોથી પરપ્રાંતીઓને રેલવે સ્ટેશન લાવવામાં આવ્યાં. જો કે મળતી માહિતી મુજબ આ પરપ્રાંતીઓને રેલવે સ્ટેશને લાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જરાય જળવાયું નહતું. 
વડોદરા: 1200 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલાયા

રવિ અગ્રવાલ, વડોદરા: ઉત્તર પ્રદેશના 1200 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવ્યાં છે. વડોદરા રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન દ્વારા આ પરપ્રાંતીઓને પરત મોકલાયા. મોડી રાતે અલગ અલગ સ્થળોથી પરપ્રાંતીઓને રેલવે સ્ટેશન લાવવામાં આવ્યાં. જો કે મળતી માહિતી મુજબ આ પરપ્રાંતીઓને રેલવે સ્ટેશને લાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જરાય જળવાયું નહતું. 

11 વિસ્તારો રેડ ઝોનમાંથી હટાવ્યાં
વડોદરા પાલિકાએ 11 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવ્યાં છે. કોરોનાના કેસ મળતા તંત્રએ આ વિસ્તારોને રેડ ઝોનમાં મૂક્યા હતાં. 11 વિસ્તારોને હવે ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. કોરોનાના પોઝિટિવ કેસ ન આવતા આ નિર્ણય લેવાયો છે. વડોદરાના હજુ પણ 59 વિસ્તારો રેડ ઝોનમાં છે. 

જુઓ LIVE TV

કોરોના સામે લડવા માટે કેન્દ્રની ટીમ
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સામે લડવા માટે કેન્દ્રએ 20 શહેરોમાં ટીમો મોકલી છે. આ 20 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદ, સુરત અને વડોદરા. કેન્દ્રીય પબ્લિક હેલ્થ ટીમ સંકલન કરશે. કોરોના સામેની લડતમાં આ ટીમો સ્થાનિક તંત્રને મદદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news