Gandhinagar માં વધુ એક વખત AAPમાં મોટો 'ગોબો' પડ્યો; સુવાળા- સવાણી બાદ હવે જાણો કોને કમળ ઝાલ્યું

આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના નેતા તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો કેસ ધારણ કર્યો હતો.

Gandhinagar માં વધુ એક વખત AAPમાં મોટો 'ગોબો' પડ્યો; સુવાળા- સવાણી બાદ હવે જાણો કોને કમળ ઝાલ્યું

ઝી ન્યૂઝ/ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાની વાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. લોકગાયક વિજય સુંવાળા અને સૌરાષ્ટ્રના મોટા ઉધોગપતિ મહેશ સવાણીએ આપના ઝાડુનો સાથ છોડી દીધો છે. વિજય સુવાળાએ તો ભાજપનો હાથ પકડી લીધો છે, પરંતુ મહેશ સવાણીએ હજુ સુધી કોઈ ફોલ  પાડ્યો નથી. ત્યારે વધુ એક વખત AAPમાં આજે એક મોટું ગાબડું પડ્યું છે. AAPના ગધીનગરના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના નેતાઓ કમલમથી આજે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ સાવિત્રીબેન શર્મા સહિતના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના નેતા તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરિયો કેસ ધારણ કર્યો હતો. ભાજપના ડો. ઋત્વિજ પટેલ સહિતના નેતાઓ AAPના નેતાઓને આવકારવા હાજર રહ્યા હતા. જેમના હાથે AAPના મોટા નેતાઓએ ભાજપનો કેસ ઓઢ્યો છે.

ગુજરાતના શાળા સંચાલકોએ ગ્રાન્ટેડ શાળાઓમાં આ મુદ્દે ફીમાં 3 ગણો વધારો માંગ્યો, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

તમને જણાવી દઈએ કે, આપના અગ્રણી નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપને અલવિદા કર્યુ છે. તેમણે હાલ રાજકીય સંન્યાસ લીધો છે પણ આવનારાં દિવસોમાં તેઓ ઘરવાપસી કરે તેવા એંધાણ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ છે જેનાથી આપના ટોચના નેતાઓ ઘણાં સમયથી વ્યથિત છે. ગાયક કલાકાર વિજય સુંવાળાનો આપ પ્રત્યેનો મોહ ભંગ થયો હતો. રાજીનામુ ધરી સુંવાળાએ એવુ જણાવ્યું હતુ કે, હું ગાયકીમાં ધ્યાન આપી શકતો નથી જેથી પક્ષ છોડી રહ્યો છું. પણ પાર્ટી છોડ્યાના 24 કલાકમાં જ સુંવાળાના સૂર બદલાયા હતાં.

સુરત બસ આગ દુર્ઘટના: મૃતક યુવતીના પતિનો ચોંકાવનારો ખુલાસો; ઘટનાનો ચિતાર વર્ણવ્યો

નોંધનીય છે કે ગુજરાતમાં ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરી છે ત્યારે  ઉત્તરપ્રદેશની રાજકીય ઇમેજ ગુજરાતના મતદારો પર અવળી અસર કરે તેમ છે તેવા ડરથી ગુજરાત ભાજપે આપને નિશાન બનાવી છે અને ટોચના નેતાઓને પક્ષપલટો કરાવી ભરતી અભિયાન હાથ ધર્યુ છે. ગુજરાતમાં કોંગ્રેસ-આપના નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે તેવુ રાજકીય ચિત્ર ઉભુ કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news