માતાજીનું યંત્ર હોય તેવું દેશનું એકમાત્ર મંદિર, તમે જે પણ ઇચ્છો તે માનતા થઇ જશે પુરી

દેશમાં અનેક એવાં મંદિરો આવેલાં છે, જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા માટે જાણીતા હોય છે. એવું જ એક મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવાય છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.

માતાજીનું યંત્ર હોય તેવું દેશનું એકમાત્ર મંદિર, તમે જે પણ ઇચ્છો તે માનતા થઇ જશે પુરી

મહેસાણા : દેશમાં અનેક એવાં મંદિરો આવેલાં છે, જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા માટે જાણીતા હોય છે. એવું જ એક મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવાય છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.

મહેસાણાથી અમદાવાદ હાઇવે પર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે. આ મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દુ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે.

2800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર બાદ ગામલોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમનાં કામ પૂરાં થતાં ગયાં એમ એમ લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોકવાયકા મુજબ ઝુલાસણ ગામ 800 વર્ષ પહેલાં જંગલ વિસ્તાર હતો. તે વખતે સતી દાલામાતા દાગીના પહેરીને ચાલતા નીકળ્યા હતા. તે વખતે તેમની પાછળ નવાબના માણસો પડ્યા હતા. સતી માતા રૂપે સુંદર હતા. જેથી નવાબના માણસોની દાનત બગડી, માતાજી એક જગ્યાએ ઉભા રહ્યા ત્યાં વરખડીનું ઝાડ હતું. આ ઝાડમાં સધી માતાજીનો વાસ હતો. સતી દાલાએ સધી માતાજીની પ્રાર્થના કરી અને સધી માતાજમા તેઓ સમાઈ ગયા અને દાલા માતાજીનું શરીર ફૂલ બની ગયું. સમય જતાં આ સ્થળે માટીનું યંત્ર મળ્યું, અને ત્યારબાદ આ સ્થળ ઉપર મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરમાં લોકો દર્શન અને માનતા માનવા આવે છે.

ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે. સુનિતા વિલિયમ્સ ઘણીવાર આ ગામમાં મંદિરનાં દર્શન કરવા આવી ચૂક્યાં છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતાં એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યાર બાદ સુનિતા વિલિયમ્સ સફળતાપૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવ્યાં હતાં અને ત્યાર બાદ ઝુલાસણ ખાતે દાંલા માતાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. હજારો લોકોની આસ્થા બની ચુકેલું આ મંદિર આજે વિઝા અપાવતું મંદિર બની ચૂક્યું છે. માનો કે ન માનો અનેક લોકોની આ મંદિરમાં રાખવામાં આવેલી બાધા ફળી પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news