ખેડા: કપડવંજ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા

જિલ્લાના કપડવંજ પાસે આવેલા ઉટકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી.

ખેડા: કપડવંજ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા

યોગીન દરજી/ખેડા: જિલ્લાના કપડવંજ પાસે આવેલા ઉટકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવાતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે આ યુગલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. 

ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસમાં પ્રેમી યુગલની પાસે થી ઠંડાપીણાની બે બોટલો મળી આવી છે. પોલીસને આશંકા છે, કે આ ઠંડાપીણાની બોટલમાં ઝેર ભેળવીને પ્રેમી યુગલે આત્મહત્યા કર્યાંની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે, કે આ યુગલ દ્વારા પ્રેમ પ્રકરણમાં આત્મ હત્યા કરી હોવાની આશંકા છે. 

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે, કે પ્રેમી યુગલ અમદાવાદના રહેવાસી છે. પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. તથા મૃતદેહ પાસે પડેલી ઠંડાપીણાની બોટલને એફએસએલમાં મોકલીને આ મામલે આતરસુંભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news