કેવડીયામાં માર્ગ અને મકાન મંત્રીની મોટી જાહેરાત, સી પ્લેનથી માંડી રોડ રસ્તા તમામ સમસ્યાઓ થશે દુર

આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાતે મુહૂર્ત કરવામાં આવશે. મે મહિનાથી ઓકટોબર મહિના સુધીમાં આ તમામ રસ્તાના ખાતે મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી આપી દીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધીના સી પ્લેનનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું કેબિનેટમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. 
કેવડીયામાં માર્ગ અને મકાન મંત્રીની મોટી જાહેરાત, સી પ્લેનથી માંડી રોડ રસ્તા તમામ સમસ્યાઓ થશે દુર

કેવડીયા : આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાતે મુહૂર્ત કરવામાં આવશે. મે મહિનાથી ઓકટોબર મહિના સુધીમાં આ તમામ રસ્તાના ખાતે મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટરને મંજૂરી આપી દીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધીના સી પ્લેનનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું કેબિનેટમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આજે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી અને સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. 3 કરોડ 88 લાખના ખર્ચે આ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવસીઓ માટે અને આજુબાજુના ગામડામાંથી આવતા લોકો માટે આ બસ સ્ટેશન આશીર્વાદરૂપ બની રહેશે. સાથે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, આગામી 6 મહિનામાં રાજ્યમાં 12,200 કરોડના 3681 જેટલા રસ્તાના ખાતે મુહૂર્ત કરવામાં આવશે. મે મહિનાથી ઓકટોબર મહિના સુધીમાં આ તમામ રસ્તાના ખાતે મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાતમાં દેશના પ્રથમ 3 સ્ક્રેપ સેન્ટર ને મંજૂરી આપી દીધી છે. 

પ્રથમ સ્ક્રેપ સેન્ટર ઓલપાડમાં કાર્યરત છે. જયારે બીજા બે સેન્ટરોને ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. 15 વર્ષ જુના વેહીકલોના સ્ક્રેપ સેન્ટરોનો મામલો ભારત સરકારનો છે. ગુજરાત સરકાર પાસે વેહિકલ ફિટનેસનો મામલો છે. સારેપ કે ફિટનેશની બાબતએ ગુજરાત સરકાર પીપીપીના મોડેલથી  આગળ વધી રહી છે. ભારત સરકારના નિયમો પ્રમાણે સ્ક્રેપ સેન્ટરો બને તે જોવાનું ગુજરાત સરકાર એ છે. જેનું અનુસરણ થાય છે તે ગુજરાત સરકારે જોવાનું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી સુધીના સી પ્લેનનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં કાર્યરત  પણ થઈ જશે. નર્મદા જિલ્લામાં એરપોર્ટ નિર્માણ બાબતે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, એરપોર્ટની પહેલી પ્રાયોરિટી અંકલેશ્વર ખાતે બની રહેલ કાર્ગોની છે. 100 કરોડના ખર્ચે રનવેનું ખાતે મુહૂર્ત થોડાક દિવસોમાં કરવામાં આવશે. બીજા ફેઝમાં હેંગર બિલ્ડીંગ જેવા અનેક પ્રકરણ સ્ટ્રક્ચર કાર્ગો અંકલેશ્વર ખાતે બને તે પેહલી પ્રાયોરિટી છે. ત્યારબાદ રાજપીપલા અને નર્મદા જિલ્લમાં પણ બીજી જગાય જોવાઈ રહી છે અને નકશા ઓ પણ જોવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news