સુરતમાં કોરોનાના લીધે સીનિયર નર્સનું નિધન, હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ ચિંતામાં

થોડા દિવસ પહેલા તેમને શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવો થતો હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરતમાં કોરોનાના લીધે સીનિયર નર્સનું નિધન, હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ ચિંતામાં

ચેતન પટેલ/સુરતઃ  રાજ્યમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કોરોના વોરિયર બનીને લોકોની સેવા કરી રહેલા ડોક્ટરો, નર્સ અને પોલીસકર્મિઓ પણ આ સંક્રમણના શિકાર બન્યા છે. હવે શહેરની નવી સિવિલ હોસ્પિટલના એક સીનિયર નર્સનું કોરોના વાયરસને લીધે નિધન થયું છે. 57 વર્ષીય અસ્મિકાબેન પટેલ મોતને ભેટ્યા છે. તેઓ નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા હતા. 

થોડા દિવસ પહેલા તેમને શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવો થતો હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 12 દિવસથી MICUમાં સારવાર લઈ રહ્યાં છે. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમના મોતને લઈને પરિવાર પણ આઘાતમાં છે. તો હોસ્પિટલમાં કામ કરતા અન્ય સ્ટાફના લોકો પણ ચિંતિત છે. 

શાહીબાગ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, પૂજા કરવા માટી સંખ્યામાં લોકો થયા ભેગા  

કોરોનાને ડામવા સુરત મનપાની નવી રણનીતિ
સુરત શહેરમાં સતત વધી રહેલા સંક્રમણને લઈને મહાનગર પાલિકા ચિંતામાં છે. કોરોનાને કંટ્રોલ કરવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. હવે પાલિકાએ દરરોજ 5 હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જે વ્યક્તિઓને તાવ, શરદી, ઉધરસ હોય તેવા વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જો મનપા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવશે તો કેસ પણ વધશે તેવી શક્યતા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news