ગુજરાતમાં ફરી બદલી-બઢતીનું ભૂત ધૂણ્યું! 6 IFS અધિકારીનું પ્રમોશન, તો 7 ચીફ ઓફિસરોની બદલી

નગરપાલિકાઓના ચીફ ઓફીસર સંર્વગના સાત અધિકારીઓને જાહેર હિતમાં તેઓની હાલની જગ્યાએથી બદલી કરી છે જેમાં દશરથસિંહ એન ગોહિલને ભરૂચથી બદલી કરી વલસાડ મુકવામાં આવ્યા છે.

ગુજરાતમાં ફરી બદલી-બઢતીનું ભૂત ધૂણ્યું! 6 IFS અધિકારીનું પ્રમોશન, તો 7 ચીફ ઓફિસરોની બદલી

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર બદલી અને બઢતીનું ભૂત ધૂણ્યું છે. આ સાથે જ ગુજરાતમાં 6 IFS અધિકારીને પ્રમોશન, તો બીજી બાજુ 7 ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર છૂટ્યા છે. 

સાત અધિકારીઓને ક્યાં બદલી કરાઈ
નગરપાલિકાઓના ચીફ ઓફીસર સંર્વગના સાત અધિકારીઓને જાહેર હિતમાં તેઓની હાલની જગ્યાએથી બદલી કરી છે જેમાં દશરથસિંહ એન ગોહિલને ભરૂચથી બદલી કરી વલસાડ મુકવામાં આવ્યા છે જ્યારે સંજય એચ પટેલને સિધ્ધપુરથી બદલી ચાણસ્મા કરાઈ છે.  સાવનકુમાર સી રતાણીને કપડવંજથી ખેડબ્રહ્મા મુકાયા છે. 

No description available.

કૈલાશબેન પ્રજાપતિને RCM રાજકોટથી કપડવંજ મુકવામાં આવ્યા છે. મનોજ આર સોલંકીને પોરબંદર-છાયાથી કલોલ ખાતે બદલી કરાઈ છે જ્યારે વિજય એન પરીખને કલોલથી ડે. ડાયરેક્ટર, GMFB ખાતે બદલી કરાઈ છે. શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફીસરોને બદલી આદેશ કર્યા છે.

છ  IFSની બઢતી સાથે બદલી 
આ સાથે છ જેટલા આઈએફએસ અધિકારીએે બદલી સાથે બઢતી પણ કરાઈ છે. જેમાં ડૉ. સંદીપ કુમાર IFS (GJ-RR-2005) રાજકોટ ખાતેથી બઢતી સાથે કેવડિયા બદલી કરાઈ છે. પ્રદીપ સિંહ, IFS તેમજ ડૉ કે શશીકુમાર તેમજ શ્રી આર સેંથિલકુમારન, ડો ટી કરુપ્પાસામી અને શ્રી પૂ પુરુષોત્તમાની પણ બઢતી સાથે બદલી કરાઈ છે. 

No description available.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news