PM મોદીનો સીધો આરોપ, ‘સરદાર, મોરારજીભાઇ પછી હવે મને પૂરો કરવાના કોંગ્રેસના પ્રયાસો છે’

સોનગઢમાં તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પોસ્ટર અને બેનર સાથે સભામાં મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યાં છે. 

PM મોદીનો સીધો આરોપ, ‘સરદાર, મોરારજીભાઇ પછી હવે મને પૂરો કરવાના કોંગ્રેસના પ્રયાસો છે’

સુરત :જુનાગઢની જનસભામાં મંચ પરથી કોંગ્રેસ પર પ્રહારો કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા છે. અહીં તાપીના સોનગઢમાં તેઓ સભા સંબોધી હતી. સોનગઢમાં તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પોસ્ટર અને બેનર સાથે સભામાં મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યાં છે. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા માવજીભાઈ ચૌધરીને આવકાર્યા હતા. માવજીભાઈ ચૌધરી તાપી-સુરત પંચાયત પૂર્વ પ્રમુખ છે.

તાપીના સોનગઢમાં પ્રધાનમંત્રી મોદીનો કોંગ્રેસ પર વાર કરકા કહ્યું કે, ગુજરાતના ત્રણ દિકરાઓ પર કોંગ્રેસે કર્યાં જાત જાતના અખતરા કર્યાં. સરદાર, મોરારજી ભાઇ અને હવે મને પૂરો કરવા કોંગ્રેસ પ્રયાસો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સોનગઢમાં જાહેર સભા દરમિયાન વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 23 મેનાં રોજ પરિણામ આવશે ત્યારે દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે.

પીએમ મોદીની બાયોપિક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, 11 એપ્રિલે થવાની હતી રિલીઝ

આતંકવાદ મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું...
તેમણે આતંકવાદ અને કોંગ્રેસ વિશે કહ્યું કે, પડોશનો એક જ ધંધો છે આતંકવાદ એક્સપોર્ટ કરો. કોંગ્રેસે જ ચૂંટણી ઢંઢેરો બહાર કાઢ્યો એ સરદારના વિચારોથી એકદમ વિપરીત છે. દેશના ટુકડા કરનારા રાષ્ટ્રદ્રોહી કહેવાય છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, અમે રાષ્ટ્રદ્રોહનો કાયદો જ કાઢી નાખીશું. સરદાર પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત હતા. જે સમસ્યા તેઓ ઉકેલી શક્તા હતા, તે રસ્તે ચાલવાનો અમે પ્રયાસ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી અને પરિવાર માટે સરદાર કણાંની જેમ ખૂંચતા હતા. બાદમાં મોરારજી સામે વાંધો પડ્યો. હવે મને તમે મોકલ્યો, તેથી તેમને વધુ તકલીફ થઈ. આ તો અમારા ગોત્રનો જ નથી. આ તો ચાવાળો છે. મનથી પોતાને રાજા-મહારાજા માનનારા લોકો ચા-વાળાનો સ્વીકાર કરી શકે ખરા. 

એક જમાનો હતો કે આતંકવાદી હુમલા બાદ સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહેતી. ગુજરાતને જેમ શાંતિથી જીવતા કર્યા, તેમ દેશમાં પણ કરવુ પડે ને. આખા દેશમાં શાંતિ અને સદભાવનાનું વાતાવરણ પેદા કરવા આતંકવાદને યેનકેન પ્રકારે ખતમ કરવો પડે. આતંકવાદને ખાતર-પાણી અને ઉછેર પડોશમાં થતો હોય, અને આપણે ભારતમાં આતંકવાદ નાબૂદ કરવાના ખેલ કરીએ તો શું થાય. મેં ત્યાં જઈને કર્યું, તો તેમને ત્યા પણ વાંધો પડ્યો. 

કોંગ્રેસે મધ્યપ્રદેશમાં રૂપિયા ખંખેર્યા
દેશનુ બીજુ કેન્સર ભ્રષ્ટાચાર છે. દિલ્હીને જઈને પણ આપણે એવો દબદબો કર્યો છે કે, જે દેશની જનતાનું લૂટ્યુ છે તેને પરત કરાવવુ પડશે. કોંગ્રેસ કહે છે ચોકીદાર ચોર છે, અને રૂપિયા મધ્યપ્રદેશમાં તેમની પાસેથી નીકળે. હવે મને ખબર પડી કે તેમને નોટબંધીથી અકળામણ થાય છે. કેમ કે છાશવારે રૂપિયા ભેગા કરવાની આદત છે. હજી તો મધ્યપ્રદેશમાં સરકાર બની જ છે. પહેલા જ દિવસે એક જ કલાકમાં 280 કરોડ નીકળ્યા છે. ગરીબના મોઢામાંથી કોળિયો છૂટવી લે એને ઈશ્વર માફ કરે ખરી. 
  

કોંગ્રેસના રાજમાં આદિવાસીઓ માટે કોઈ યોજના જ ન હતી
ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં એકપણ સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ ન હતી. જો વિજ્ઞાનની શાળા જ ન હોય તો આદિવાસી બાળકો ડોક્ટર કેવી રીતે બને. અમે શાળા શરૂ કરી. ગરીબી હટાવવાની પહેલી શરત જ કોંગ્રેસ હટાવવાની છે. દેશ આઝાદ થયો ત્યારે આદિવાસી હતા, ભગવાન રામના જમાનામાં પણ રામ હતા. પણ તે વાત કોંગ્રેસને સમજ પડતી ન હતી. જ્યા સુધી અટલજીની સરકાર ન આવે, ત્યા સુધી આદિવાસીઓ માટે કોઈ વિભાગ જ ન હતો. તેમણે પહેલીવાર અલગ મંત્રાલય બનાવ્યો. 

પહેલા મતદારોને આપી સલાહ
પહેલા મતથી એવી સરકાર બનાવો જે તમારા ઉજ્જવળ ભવિષ્યના સપના પૂરા કરે. એવી સરકાર બનાવો જે મજબૂતીથી નિર્ણય લઈ શકે. અને મજબૂતીથી નિર્ણય કોણ લે છે તે એ માટે કહેવા જવાની જરૂર નથી. આંખ બંધ કરશો તો એક જ નજર સામે દેખાશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા 2019ની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થયા બાદ પીએમ મોદીની આ પહેલી ગુજરાત વિઝીટ છે. જેમાં તેમણે ગુજરાતના મતદારોમાં ભાજપની જીતનું રણશીંગુ ફૂક્યું છે. સવારે જુનાગઢની સભામાં તેમણે કોંગ્રેસ પર મધ્યપ્રદેશમાં પડેલી રેડને લઈને શાબ્દિક પ્રહારો કર્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news