Cyclone Biparjoy: પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી તૈયારીની સમીક્ષા કરી, અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ

ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભવાનાના કારણે પ્રધાનમંત્રી કાર્યાલય પીએઓમાં સીધું મોનિટરિંગ શરૂ કર્યું છે. તો વિવિધ મંત્રીઓ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મદદ માટે પહોંચી ગયા છે. પીએમ મોદીએ દિલ્હીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીની સમીક્ષા કરી છે. 

Cyclone Biparjoy: પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી તૈયારીની સમીક્ષા કરી, અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ

નવી દિલ્હીઃ ગુજરાતમાં સમુદ્રી ચક્રવાત તોફાન બિપરજોય આવવાનું છે. રાજ્યનો સમુદ્રી વિસ્તાર એલર્ટ મોડ પર છે. તંત્ર સતત સાવચેતીના પગલા ભરી રહ્યું છે. ગુજરાતમાં 15 જૂને બપોરે સમુદ્રી તોફાન કચ્છના માંડવી અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન 100 કિમી પ્રતિ કલાકની વધુની ગતિએ પવન ફુંકાઈ શકે છે. આ વચ્ચે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાવાઝોડા અંગે મહત્વના નિર્દેશ આપ્યા છે. 

પીએમ મોદીએ આપ્યા નિર્દેશ
પીએમ મોદીએ ચક્રવાત બિપરજોય પર એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને ગૃહમંત્રાલયના અધિકારીઓ હાજર હતા. પીએમ મોદીએ કહ્યું કે નુકસાન થવાની સ્થિતિમાં તત્કાલ મમદ માટે તૈયારીઓની સાથે જરૂરી સેવાઓ નક્કી કરો. ગૃહમંત્રાલય દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તોફાન 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. આ દરમિયાન 125-140 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

— Narendra Modi (@narendramodi) June 12, 2023

IMDના ડાયરેક્ટર જનરલે બિપરજોય પર શું કહ્યું?
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય ધીમે ધીમે ઉત્તર દિશામાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને 14 જૂન પછી તેની દિશા બદલશે. 15 જૂનની બપોર સુધીમાં 125-135 કિમી/કલાકની ઝડપે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકશે. 14-15 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે.

કેબિનેટ સચિવે તૈયારીઓની સમીક્ષા કરી
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ મેનેજમેન્ટ સમિતિ (એનસીએમસી) એ આજે અરબ સાગરમાં ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને કેન્દ્રીય મંત્રાલયો તથા વિવિધ એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

એનડીઆરએફની ટીમો તૈનાત
એનડીઆરએફે કહ્યું કે ચક્રવાત બિપરજોયને કારણે સાવચેતીના ભાગ રૂપે અમે મુંબઈમાં પહેલાથી ઉપલબ્ધ ત્રણ ટીમો સિવાય બે ટીમોને તૈનાત કરી છે. આ સિવાય અમે અન્ય ચાર ટીમો ગુજરાત મોકલી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ગુજરાતમાં વાવાઝોડાથી વધુ અસર થઈ શકે છે. પુણેમાં પણ એનડીઆરએફની ટીમો તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news